પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


સાફ કરે છે." આ ઉત્તર પણ તેને રૂચ્યો નહિ. એકાવાળાને બિસ્રા અને ટ્ર્ંકો ઉપર મૂકવાનું કહી તેણે ફરી પૂછ્યું:"પણ ત્યારે હજી સુધી રસોઇ કેમ તૈયાર થઇ નથી ? મેં એટલા માટે તો તાર કર્યો હતો."

"પણ ભાઇ, તાર તો હજી હમણાં આવ્યો, અને ગામમાં વંચાવવાનું પણ દુ:ખ."

રેલ્વેના તાર, મૂકનાર મુસાફર પહેલાં જવલ્લે જ પહોંચે છે એ હકીકત સર્વ જાણે છે. પણ માણસ કોણ જાણે શાથી એમ માને છે કે મનના વેગથી હકીકતને ઉડાડી મૂકી શકાય છે. પણ હકીકત હંમેશાં અર્થહીન હાય છે અને તેને નહિ સ્વીકારનારનાં કાર્યોને અર્થહીન કરે છે.

મુકુન્દે ઘણા જ વેગથી કહ્યું: “ અરે, તાર તે કેમ મોડો આવે? મેં ઝાંખરિયા જંકશનથી કર્યો હતો ને ?”

ગંગાએ ભાઇની નિર્બળતાનો લાભ લીધા વિના જરા હસીને કહ્યું: “ ભાઇ, એ તો અમને શી ખબર પડે ? પણ જે તે તમારે જમવાનું નહિ મોડું થાય. ચા બા પીશો, નહોશો, ત્યાં રસાઈ તૈયાર હશે."

ગંગાના હાસ્યથી મુકુન્દના મનનું હાસ્યદ્વાર ખુલ્યું. જાણે વસ્તુસ્થિતિ માટે માફી માગતો હોય તેમ પોતાના મિત્રો તરફ વળીને તેણે હસીને કહ્યું: “આ તો ગામડું છે, તાર કરીએ તોપણ આ સ્થિતિ !" મિત્રાએ ‘કાંઈ નહિ' કહી પોતાની ઉદારતા બતાવી. એટલામાં એકાવાળાએ ટ્રંકો અને બિસ્ત્રા મેડી ઉપર ચઢાવી દીધા હતા એટલે "ચાલો ત્યારે ઉપર જઇએ" કહી તે મિત્રોને લઇ મેડી તરફ ચાલ્યો. ત્યાં

૮૬