પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મુકુન્દરાય


ઉપર નજર રાખી બેસી રહ્યા. ગંગાને લાગ્યું કે ડોસાના મનનો ઊભરો વાત કરાવ્યા વિના સમાશે નહિ. તેણે કહ્યું "એમાં દિલગીર શું થાઓ છો? તેણે તાર મોકલ્યો છતાં રસોઇ બરાબર ન કરાઈ તેથી ભાઈ ઘણા ચીડાઈ ગયા, તેમાં તમે શા માટે દિલગીર થાઓ છો ?" ડોસો છતાં હજી શાન્ત જ રહ્તો, નજર પણ ન ખસેડી, વસ્તુસ્થિતિનો વધારે મર્મભાગ ખેાલવાની જરૂર જણાઈ. ગંગાએ કહ્યું: “ તમે મારી આટલી બધી ચિન્તા શા માટે કરો છો ? કાંઈ હું અશક્ત કે નિરાધાર નથી થઈ ગઈ. અને મારે ભાઈ જેવો ભાઈ છે!” ડોસાએ નજર ફેરવ્યા વિના જ જાણે હજી મનમાં જ વિચાર કરતા હોય તેમ કહ્યું: "એ હવે આપણો નથી રહ્યો." ડોસા બોલવા માંડ્યા તેથી ઉત્સાહમાં આવી ગંગાએ કહ્યું: "હવે એવું તે હાય !" ડોસાએ ફરી કહ્યું: “હા, એ આપણો નહોય. એ ગયો જ સમજો ” એ વખતે બહાર ઓટલા પરથી અવાજ આવ્યો “એ મુકુન્દ ગયો છે."

મુકુન્દે, પોતાના જેવા સુધરેલા માણસને, કોઈ મિત્ર નહિ, કોઈ વિનોદનું સાધન નહિ, એવી સ્થિતિમાં ગામડામાં કેવી મુશ્કેલી પડે છે તે ઘણી જ નિખાલસતાથી મિત્રોને રસ્તે કહ્યુ, અને મિત્રોએ તેને સામાન વિના પણ સાથે આવવા આગ્રહ કર્યાંથી તે ટ્રેનમાં જ તેમની સાથે ચાલ્યો ગયેલો. તેણે એકાવાળા સાથે કહેવરાવ્યું હતું કે પોતે ગયો છે. તે સંદેશો એકાવાળાએ બરાબર રઘનાથ ભટને ત્યાં પહોંચાડયો. એકાવાળાનું વાક્ય પ્રસ્તુત વાતચીતમાં એવું મળી ગયું કે રઘનાથ કે ગંગાને કશું પૂછવાનું રહ્યું નહિ.

ગંગાએ જોયું કે હવે દલીલનો અવકાશ નથી. તેણે પિતાને વધારે શાન્તિનો સમય આપવા પથારી વગેરે કેટલુંક

૯૫