પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પહેલું ઈનામ


મેં કહ્યું: “પોલિસને કોઇ બીજો ન મળ્યો તે તારા જેવા અસહકારીને પંચ કર્યો?"

હરજીવનઃ "તેમને કોઇ ભણેલેા માણસ જોઇતો હતો. અને આટલું વહેલું પંચક્યાસમાં રોકાવા કોણ નવરું હોય? તમે વકીલો ફરવા નીકળો છો પણ પંચક્યાસમાં કામ ન આવો. ”

મેં કહ્યું: “ પછી હતું શું ?"

“કોઇ મુસલમાનનું મડદું પડેલું હતું. તેની ડોક ભાંગી ગયેલી હતી. અકસ્માતથી મુઆનો પંચક્યાસ કર્યો.

“ અકસ્માત કેવી રીતે થયો એ કાંઇ જણાયું ? ”

"લખ્યું કે પૂલના ફૂટપાથના નળ પર બેઠેલો ત્યાંથી પડી જવાથી ડોક ભાંગી જવાથી મૃત્યુ થયું."

"ત્યારે તો તું ખૂન જોવા ગયેલો તે નિરાશ થયો હોઇશ ?"

“ના, હું તો ખૂન જ માનું છું. ”

" ત્યારે તારા જેટલી બુદ્ધિ કોઈ પોલિસમાં નહોતી શું ? ”

“ના, નહોતી. એલિસબ્રિજને થયાં મારા જેટલાં વરસ થયાં. તેમાં હજી કોઈ વાર આવું ખૂન થયું નથી. અકસ્માત થયો! નથી, અને આવું બને એ વિચાર જ પોલિસને આવી શકતો નથી. કોઈ દિવસ નથી બન્યું તે બને જ કેમ ? એમને મન તો એલિસબ્રીજની ચોકી એટલે જતા આવતા વાધરી પાસેથી શાક, દાતણ, લાકડાં વગેરે લેવાં, ચીભડાં, તરબૂચ, જામફળ વગેરે ઋતુ ઋતુના મેવા લેવા, ટોલ નથી આપ્યો કહી ગાડાંવાળાને રોકવા, અને ગુનામાં ગુનો ખોટી બાજૂ ચાલનારા કે દીવા વિનાની સાઈકલોને પકડવી એટલું જ. એથી મોટો ગુનો થવા માટે એલિસબ્રિજ છે જ નહિ, એમ એ

૧૦૧