ર થી નિયમિત થતા હાવાથી ગર્પણતીને સંતાષ આપે એવી તેના ટૂંકાપણાની મર્યાદા નક્કી થઈ શકતી નથી, અથવા આવી આનુષંગિક બાબત ઉપર બહુ ધ્યાન આપનાર કાર્ય વિવેચક તેની ચાર કે ચૌદ લીટીની મર્યાદા નક્કી કરે તા કવિએ તેના ઉપર ધ્યાન નથી આપતા. આ રીતે ટૂંકી વાર્તા, સંસ્કૃત મુકતક કે અંગ્રેજી લિરીકની જેમ એક વિશિષ્ટ કાવ્યરૂપ છે અને એ કાવ્યરૂપની અથવા સાહિત્યરૂપતી વિશિષ્ટતા લેખક અને વાચકના બહુમાનનું એક મોટું કારણ છે; તેના ટૂંકા રૂપની સમય બચાવવાની સગવડને કેવળ આનુષંગિક કારણ ગણવું જોઈએ. શ્રી. ધૂમકેતુ કહે છે તે પ્રમાણે “ ટૂંકી વાર્તા એક સ્વતંત્ર ફલા છે. ”× એક વિશિષ્ટ સાહિત્યના પ્રકાર તરીકે ટૂંકી વાર્તા જે આનંદ આપે છે તે આનંદ માટે લાા તેને સેવ છે; લાંખી વાર્તા અથવા થા વાંચવાના કંટાળા ટૂંકી વાર્તાની લોકપ્રિયતાનું મુખ્ય કારણ નથી; ઉપર કહ્યું તેમ લાંબી કથા અથવા વાર્તાના પણ આજના જમાનામાં ખાસ હૃાસ જણાતા નથી. 35 પણ ટૂંકી વાર્તાને “સ્વતંત્ર કલા - સાહિત્યના વિશિષ્ટ પ્રકાર માનીએ તેના અર્થ એવા નથી કે તેને સાહિત્યસામાન્ય નાક કલાસામાન્યના નિયમે અથવા તે નવલકથાના કાઇ પણ નિયમ... ખાસ બંધનકર્તા નથી. ” × સાહિત્યવિવેચન- માં નિયમ શબ્દ મને બહુ પસંદ નથી; એટલે ખીજી રીતે કહેવું હાય તે એમ કહ્યું, કે સાહિત્ય અથવા કાવ્યમાત્રના જે પરમ ઉદ્દેશ છે તે ઉદ્દેશ ‘ટૂંકી વાર્તાને છે; અને આ ઉદ્દેશ સાધવાના જે વિવિધ માર્ગો હોય તે માર્ગ જ ટૂંકી વાર્તાને પણ જવું પડે. આનો અર્થ એવો નથી, કે અમુક જાણીતા માર્ગ જ ટૂંકી વાર્તાએ જવું જેએ; પણ આ દિષ્ટ કલામાત્ર માટે રાખવા જેવી છે. × તણુંખા, પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના રૃ. ૮ 26 .