પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવો જન્મ


બંધ થયો એટલે પહેલાં જેટલા મહેમાન તો હવે શેના આવે, પણ ઘરની પ્રતિષ્ઠા તેણે સાચવી રાખી, મહેમાનગતિ તેની તેવી ને તેવી જ હતી; ઘરમાં ક્યાંથી આવે છે તે ગામના કોઇ માણસને તેણે કદી જણાવા દીધું નહોતું. ઘરની પ્રતિષ્ઠા અને ડેાશીની સાલસાઇથી રૂપચંદની સગાઈ પણ પંદર વરસે થઈ. રૂપચંદ જૂના ચોપડા જોતો થયો હતો, નજર પહોંચે તે પ્રમાણે વેપાર કરતો હતો, ધીમે ધીમે તેના ઘરની અસલ જગા બહાર લેતો હતો. માત્ર ૧૬ મે વરસે પાલીતાણાની યાત્રાને નિમિત્તે જ તેનો વિવાહ બાકી રહેલો; ૧૬ વરસ પૂરાં થયાં, યાત્રા કરીને ષોશીને દીકરો પાછાં આવ્યાં, અને લગન લેવાની વાતો થાય છે, ત્યાં રૂપચંદને તાવ આવ્યો; પડખામાં સૂળ ચાલ્યું, અને વૈદોએ સન્નિપાત કહ્યો. ૨૧ દિવસની લાંઘણે તેને મગનું પાણી પાયું. ફરીથી ઝમકુકાકીનું મોં ઊજળું થયું. પણ રૂપચંદનું શરીર વળ્યું નહિ, ઝીણો તાવ લાગુ પડ્યો, અને તેમાંથી ક્ષયરોગ થયો. લોકોએ ઘરનું નામ રાખવા દીકરાને પરણાવી નાખવા સલાહ આપી પણ ઝમકુકાકીએ કહ્યું કે મારો દીકરો સાજો થશે ત્યારે જ પરણાવીશ. ઘણીએ માનતા કરી, દવાઓ કરી, બકરીના દૂધ ઉપર રાખ્યો, ખાટલા આસપાસ બકરાં બાંધ્યાં, પણ શરીર ઘસાતું જ ગયું અને છેવટે ઝમકુકાકીની અનેક આશાનો એ એક તંતુ પણ તૂટી ગયો.

સાંજે શ્મશાનેથી પાછા ફર્યાં. રસ્તામાં સ્ત્રીઓ કૂટતી હતી તે જોવા હું અવશ થઈ ઊભો રહ્યો. એ ભય, નિરાશા, કલ્પાન્ત, મૃત્યુ, અમંગળતાની એવી ઊંડી વિકરાલ છાપ મારા મનમાં પડી કે તે હજી ગઈ નથી.

ગામમાં ઝમકુકાકીના ઘરથી બીજે નંબરે અમારું ઘર.

૧૨૧