પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


ઘી નાખીને લઇ ગયો હતો. આજ પાંચ દિવસે ડોશીએ 'આંધળાં આંતર' ભર્યાં. જમી રહ્યા પછી ડેાશીએ કહ્યું કે પેટમાં ભાર બહુ થઇ ગયો છે. મને લાગ્યું કે ઝાઝે દિવસે પેટ ભરીને જમ્યાં છે તે ક્યાંક પચશે નહિ. મેં ફરી જિંંજર પાયું અને સાંજે ગરમ ચા પાઈ.

હંમેશાં સવારે અમે ચા મેાકલવા માંડી. ડોશી હમેશ બપોરે આવી અમારા ઘેર બેસે ત્યારે તેને કાંઇક સાંત્વન મળે, ઘેર ડોશીને ભાવે જ નહિ. અમે છાની રીતે તેમને જમાડવા લાગ્યાં. દિવસો વીતવા લાગ્યા. દુઃખ કંઇક વીસારે પડવા લાગ્યું.

એક દિવસ ડોશીએ સોડા બનાવવાની ટીકડીઓ શેની બને છે એ પૂછ્યું. મારી માએ તે બનાવી આપવા કહ્યું, પણ ડોશીના મોંમાંથી સ્વાભાવિક રીતે ના જ નીકળી પડી. અમે પણ તેમને ખરાબ લાગે ધારી વધારે આગ્રહ કર્યો નહિ, પણ કલાક પછી ડોશીને ગોળો ચઢવા જેવું થયું અને તેમને જિંજર પ!વું પડયું, પીવું પડ્યું.

મને લાગ્યું કે ડોશીને આટલે વરસે ચાની અને જિંજરની ટેવ પડશે, પણ જે ડોશીના હાથથી નાનપણમાં મેં મીઠાઇ ખાધેલી, જેણે મને વારપરબે અનેક વાર ભાગ આપેલો, ઘણા જ વહાલથી મને ઘેર બેાલાવી અનેક પ્રસંગે જમાડેલો, તેમને વિશે આવી કલ્પના કરવી એ એકતરફથી અન્યાય અને બીજી તરફથી મારા માટે બહુ હીન લાગ્યું.

દોઢ બે માસ નીકળી ગયા.ડોશીનો જીવનતંતુ એ દુઃખમાં પણ આગળ ચાલવા લાગ્યો. મારે મુંબઇની પેઢીએ જવાનો સમય થયો. હું માબાપને પગે લાગી ચાલી નીકળ્યો.

૧૨૪