પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવો જન્મ


માટે થયેલું માન પછીથી ઓછું થયું નહિ. આજે પણ દરેક જગ્યાએ મહાત્માજીની છબીને પહેરાવવાના હારનું સૂતર સેવિકા મંડળમાંથી બધા લઈ જાય. અને ઝમકુકાકીનો સ્વભાવ પણ એવો નિરહંકારી કે બધાને એ ગમી ગયાં.

હું વિચાર કરતા હતા અને સાથે સાથે ગીતો, ભાષણો, બધા તરફ ધ્યાન રાખતો હતો. એટલામાં પેલા પારસી ગૃહસ્થને કરી પ્રશ્નપ્રેરણા થઇ આવી.

"ટે પેલાં ઊભાં છ ટેવન કોન છે ?"

મેં કહ્યું: ‘ કન્યાશાળાનાં સંગીતશિક્ષિકા વિજયાબાઇ. "

હું ફરી વિચારે ચઢ્યો. થોડાં વરસેામાં ઝમકુકાકીમાં કેવો ફેરફાર થઇ ગયો ! જાણે નવો જ જન્મ!

"અને પેલાં બીજા ટેવનની પાસે બ્લાઉઝ પહેરીને ઊભાં છ ટેવન બેન કોન છે?"

પ્રશ્ન આગળ ન ચાલે માટે મેં કહ્યું: “ હું નથી જાણતો."

ગીતો, ભાષણો, હવે પૂરાં થયાં હતાં અને ઔપચારિક કામ શરૂ થતાં હતાં. પણ હું તે મારું અધૂરું રહેલું વિચારસૂત્ર આગળ ચલાવવા માંડ્યો.

ઝમકુકાકી અને બીજી અનેક સ્ત્રીઓ આવાં કામમાં જોડાઈ છે. તેમાં આત્મમહિમા એ મૂળ કારણ નહિ હોય ? પણ આત્મહિમા શેમાં નથી હોતો ? ઝમકુકાકી નાતજાતમાં ફરતાં ત્યારે તેમનામાં જેવો ઉત્સાહ હતો તેવો અહીં પણ છે. માત્ર ભાવના ફરી ગઈ.

આપણે ભાવનાની વાત કરીએ છીએ, પણ એ પણ જિજીવિષાનું એક રૂપ નહિ હોય ? કોઇ માણસ જેમ જીવવા ખાતર દોરડાને વળગી રહે, તેમ આ જીવવાની ઇચ્છાથી માણસ

૧૩૭