પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१७


સાંકળ હોય છે તોપણ કેવળ એ મુખ્ય સાંકળનું નિરૂપણ રસાસ્વાદનું પૂરતું નિમિત્ત બનતું નથી. મુખ્ય સાંકળ શોધી કાઢવાની અને તે મુખ્ય સાંકળને જ કાવ્યોચિત આનંદ આપે એ રીતે રજૂ કરવાની શક્તિ ટૂંકી વાર્તા માટે આવશ્યક છે. આમ જેને તીરની માફક સીધા જઇને લક્ષ્યને વીંધવાનું હોય તેને બહુ બનાવો ગુંથવાનું પાલવે નહિ, જો કે એ વિવિધ લાગણીઓને મુખ્ય ભાવ પોષાય એવી કુશળતાથી ગુંથી શકે. આથી ટૂંકી વાર્તાના સમર્થ લેખકોની કૃતિઓમાં મોટે ભાગે બહુ બનાવો હોતા નથી પણ અનેક સંકલિત બનાવોમાંથી એવા બનાવને શોધીને નિરૂપેલા હોય છે કે જે બાકીના સંકલિત બનાવોનું, પોતપોતાના ભાવો અર્પી શકે એ રીતે બનાવની પસંદગી લેખકની ‘શું કહેવું છે’ એ દૃષ્ટિ પર આધાર રાખે છે. *[૧]આ દૃષ્ટિ કેટલી વિવિધ અને વેધક હોઇ શકે છે તે ટૂંકી વાર્તાના ‘પ્રભુ’ ચેખોવ નામના રશિયન લેખકની કૃતિઓમાંથી સમજાય છે


  1. * મી. ઉવાર્ડ બાઈબલની કથાઓ ઉપરથી સમગ્ર ટૂંકી વાર્તાના સાહિત્ય માટે પાંચ બાબતો તારવી કાઢે છે:

    ૧. વાર્તાવસ્તુ કેવું છે ? ( સ્પષ્ટ, સુસંબદ્ધ અને આકર્ષક છે કે નહિ ? )
    ર. વાર્તા ક્યાં શરૂ થાય છે? આડાં અવળાં રખડ્યા વિના વાત શરૂ થાય છે કે નહિ? વાર્તા વિરામ ક્યાં પામે છે? આ ક્રિયા ચોકસાઈથી અને ત્વરાથી થાય છે કે નહિ?
    ૩. શૈલી સરલ છે કે નહિ ?
    ૪. વાર્તાના પાત્રોનુ વ્યક્તિઓ તરીકે સ્પષ્ટ દર્શન છે કે નહિ ? વિલક્ષણતા ( abnormality ) વિનાનું વ્યક્તિત્વ.
    પ. દરેક શબ્દ વાર્તાની સીધી રીતે પ્રગતિ સાધે છે કે નહિ ?

    આ બધી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે છતાં તેને નિયમો તરીકે ગણવાની જરૂર નથી.