પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
२३

પરમ રસ, જે કવિઓએ અનુભવ્યો નથી કે ઓળખ્યો નથી, તે રસમાં આજે આખું ગામ નાહી રહ્યું છે. માનવજીવનને સુલભ એ જ મહાન રસ છે!!!"

“ માનવજીવનને સુલભ એ જ મહાન રસ છે ”—આ વાક્યમાં હાસ્ય છતાં કેટલો પુણ્ય પ્રકોપ છે!

‘ જમાનાનું પૂર ’ને હમણાં બજુ ઉપર રાખી ‘સાચી વારતા ’ અથવા ‘ હિંદુ સમાજના અંધારા ખૂણામાં દૃષ્ટિપાત ' એ વાર્તા જોઈએ.

આજના જમાનામાં શિક્ષિત મધ્યવર્ગમાં રશિયન વિચારો અને સમતાવાદની અસરથી દલિત વર્ગો તરફ-મજૂરો તરફ, ગરીબો તરફ એક જાતનું આકર્ષણ જાગ્યું છે. આ આકર્ષણ વાર્તાઓમાં પણ મૂર્ત થતું દેખાય છે. પણ આ જાતની વાતો કાં તો રશિયાની સાચી વાર્તાના અનુકરણરૂપ કે પૂરા કારણ વિનાના ‘લાગણીવેડા’થી દૂષિત હોય છે. ગુજરાતના જુદા જુદા ખૂણામાં જુદી જુદી કોમોમાં કેટલી વિલક્ષણ ક્રૂરતાઓ પ્રવર્તે છે અને આ ક્રૂરતા કેટલી તળપદી છે તે જાણવાની તક આપણા કેળવાયેલા, શહેરમાં રહેવાનું પસંદ કરતા ગુજરાતીને સહેજે મળતી નથી. શ્રી. રામનારાયણે મહીકાંઠામાં વકીલાત કરી તે સમયની ત્યાંની રજવાડા અને ભાયાતોની એમની અનેક માહિતીઓમાંથી અને વકીલ તરીકે આ લોકોના મળેલા સ્વભાવના ખ્યાલમાંથી એકાદ વસ્તુ લઈ આ વાર્તામાં આપ્યું છે.

વાતમાં કોઇ પણ જાતનું ‘sentimentalism લાગણીવેડા' ન આવે અને છતાં તેની સ્વાભાવિક ક્રૂરતામાં આખો બનાવ રજૂ થાય તે માટે એ ભાગોમાં ફરતા અમલદારોની દૃષ્ટિથી આખી વાત રજૂ થઇ છે.

દારૂખાતાના ઈન્સ્પેક્ટર મી. પેસ્તનજી, પોલિસ ઈન્સ્પેકટર