પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
३१


આ સંગ્રહમાં બીજી ત્રણ વાતો એવી છે કે જેમાં લેખક પોતાના અનુભવ ઉપર હાસ્યનું આવરણ નથી ઓઢાડતા. 'જમનાનું પૂર' એ ગદ્ય કવિતા છે અને જે ભાવો ‘ શેષ ’ પદ્યોમાં મૂકે છે તે આમાં ગદ્યમાં મૂક્યા છે. એક સ્ત્રીને જમનાના પૂરમાં પોતાના દીવાનો મહિમા સૌથી મોટો કરવો છે. તે કરવા માટે કોઇ અન્તરાય તેને રોકી શકતો નથી. પોતાનો દીવો દૂરમાં દૂર મૂકીને તેને સંતોષ ન થયેા. આખા દૃશ્યની એને પરવા ન હતી. એ પોતાના મ્હિમામાં મત્ત થતી હતી, તેનો પગ સરક્યો અને જમનાનું પૂર એને ખેંચી ગયું !

આ વાર્તા એક લિરીકલ શબ્દચિત્ર છે. તેની ભાષાશૈલી પણ બીજી વાર્તાઓ કરતાં જુદી પડે છે. એને વાર્તા કહેવા કરતાં ગદ્ય કાવ્ય કહેવાનું હું વધારે પસંદ કરું છું.

શ્રી ગગન્તવહારી આ વાર્તાને અહંકારના પતનની કથા કહે છે. લેખકનો એવો કાઈ ઉદ્દેશ હશે કે નહિ તે વિશે મને શંકા છે. વાર્તાને અંતે લેખક કહે છેઃ

“ આજે કાલિન્દીએ ધ્યાનસ્થ યોગી જેવા અનેક ઉચ્ચ પર્વતોના પગ ધોયા છે, આજે કાલિન્દીએ જગતનો કેટલોય મેલ પોતાના વેગમાં ખેંચી તેને દરિયામાં લુપ્ત કર્યો છે, આજે કાલિન્દીએ તટ ઉપરનાં કેટલાંય ખેતરોને ફળદ્રુપ કર્યા છે, આજે કાલિન્દીએ કેટલાય દીવાઓ વક્ષસ્થલ ઉપર ધારણ કર્યા છે--કદાચ તેનો દીવો પણ ધારણ કર્યો છે, પણ મારા દીવો સૌથી આગળ જઈ સર્વને વિસ્મિત કરશે." એટલો મનોરથ સિદ્ધ થયેલ દેખાડવા જેટલો સદ્ભાવ કાલિન્દીએ તેના તરફ બતાવ્યો નહિ !

"જગતમાં પૂરનો હેતુ શું હશે?"

'મુકુન્દરાય ’ અંગ્રેજીમાં જેને ટ્રેજિક કહી શકાય એવી વાર્તા છે—જો કે એમાં કોઈ મરતું નથી.

ઐતિહાસિક સ્મરણવાળું, સ્ટેશનથી દૂર, તાર ટપાલની જ્યાં વ્યવસ્થા નથી એવું ગુજરાતનું એક ગામ છે અને તેમાં