પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
३२


પ્રાચીન ઢબના ઉચ્ચતમ સંસ્કારવાળા એક વૃદ્ધ પિતા અને તેમની બાળવિધવા પુત્રી રહેતાં હતાં. પુત્રીમાં પોતાની સ્થિતિ ઉપરના પ્રભુત્વથી અને અજ્ઞાત કૃતકૃત્યતાના સંતોષથી જે સ્વસ્થતા આવે છે તે હતી. કૉલેજમાં ભણતો પુત્ર અને ભાઇ મિત્રો સાથે રજામાં ઘેર આવે છે તેનો તાર આવે છે. વાત્સલ્ય અને ભાઇપ્રેમને ઉચિત સમારંભ થાય છે. કુટુમ્બ સંસ્કારી અને પૈસાટકાએ તાણવાળું હતું. કૉલેજની બેપરવાઈ અને ઉચ્છ્ર્ંખલ હવાવાળો, ગરીબાઇમાં શરમાતો પણ તેને છુપાવવાની કુશળતાવાળો મુકુન્દરાય મિત્રો સાથે ઘેર આવે છે. વૃદ્ધ પિતા અને બહેન સાથે તોછડાઈથી વર્તે છે, અને છેવટે સાંજે મિત્રોને વળાવવા જતાં પોતે પણ મિત્રોના આગ્રહથી તેમની સાથે ચાલ્યો જાય છે.

વૃદ્ધ પિતાને પુત્રના આ સંસ્કારથી સમજાય છે કે "એ આપણો ન હોય. એ ગયો જ સમજો, ” અને ત્યાં ગાડીવાળાના શબ્દોમાં સંસ્કૃત નાટકને પરિચિત પતાકાસ્થાનકની યુક્તિથી લેખક ‘ મુકુન્દ ગયો છે ’ એની ખાતરી આપે છે. રઘનાથ આ સ્થિતિથી ડધાઈ જાય છે, દુ:ખી થાય છે, મૌન સેવે છે, અને છેવટે ‘આવા પુત્ર કરતાં વાંઝિયાપણું સારું' એ પ્રકોપ નીચેની અનુપમ અને મર્મભેદક રીતે રજુ થાય છેઃ

“ ...તે ફરી રઘનાથની પાસે બેઠી. આ વખતે રધનાથ જ પહેલા બોલ્યા “આપણે અંબાજી ગયા હતા તે ચાદ છે “
વિષયાન્તરની આશાથી ગંગાએ કહ્યું: "હા."
"ત્યાંથી કુંભારિયાનાં દેરી જોવા ગયેલાં તને ચાદ છે ?"
"હા."
"એ દેરાં વિમળશાએ બધાવેલાં."
“ એમ કે ? "
"એ વિમળશા અંબાજીનો ભક્ત હતો." પિતા સ્વસ્થ થતા જાય છે એમ માની ગંગાનો ઉત્સાહ વધતો જતો હતો અને તે