પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
३३

સરળ ઉસાહથી હોંકારો દેવા લાગી, “ તે એક વાર અંબાજી દર્શન કરવા જતો હતો. રસ્તામાં એક મોટી વાવ આવી. તેમાં તે પાણી પીવા ગયો. વાવના પગથિયા પર એક વણઝારો બેઠો હતા. તેણે પાણીનો પૈસો માગ્યો. વિમળશાએ 'શેનો’ એમ પૂછ્યું. વણઝારાએ વાવનો શિલાલેખ બતાવી કહ્યું કે 'આ વાવ બંધાવનાર પીથો અમારો દાદો થાય. અમારી સ્થિતિ બગડી ગઇ એટલે હું મારી બાપુકી થાવ પર લાગો લેવા આવ્યો છું,' વિમળશાને થયું કે “મેં આવાં દેરાં તો બંધાવ્યાં પણ મારી પછવાડે કપૂત જાગે તો મારા દેરાંની પણ આવી દશા થાય !"— ગંગાનો હોંકારો શિથિલ પડતો ગયો—“પછી અંબાજી પાસે ગયો. તેને અંબાજી પ્રસન્ન હતાં. તેમણે કહ્યુઃ 'બેટા માગ, માગ,’ વિમળશાએ કહ્યું: ‘ મા, બીજું કાંઈ ન માગું, માગું એક નખ્ખોદ'-હવે ગગાનો હોંકારો નિ:શ્વાસ જેવો થઈ ગયો હતો— બીજી વાર કહ્યું: ‘ માગ, માગ;' ફરી વાર પણ નખ્ખોદ માગ્યું. ત્રીજી વાર પૂછ્યું: ત્રીજી વાર પણ નખ્ખોદ માગ્યું." ડોસા ફરી નીરવ શાન્તિમાં પડયા,

આખા ધરમાં મૃત્યુ જેવી શાન્તિ છવાઈ રહી.

ટૂંકી વાર્તાની કલાની દૃષ્ટિએ આ વાર્તામાં કુશળતાનો પરિપાક દેખાય છે. મુખ્ય પાત્રોના સ્વભાવ ઉપરથી આખો બનાવ જે સજહતાથી બને છે તે ખરેખર એક નમૂનારૂપ છે. પાત્રોનાં સ્વભાવવર્ણન પણ નિકટ પરિચય અને મનેાભાવોનાં ઊંડાં અને સૂક્ષ્મ નિરીક્ષણ સૂચવે છે. મુકુન્દરાયની કૉલેજમાં ચતુરાઈ અને ઘેર બેપરવાઈ, વિદ્યાર્થીઓના જીવનમાં ભણવા ઉપરાંત વધારે ઊંડા ઊતરનાર અધ્યાપકને શકય એ રીતે ચીતરાયાં છે. પિતા, સંસ્કારી બ્રાહ્મણ કુટુમ્બના માનભર્યાં પરિચયનો પુરાવો છે; અને વિધવા બહેન, પુનર્લગ્નની છૂટની આવશ્યકતા પુરેપૂરી સમજનાર છતાં પ્રાચીન રીતમાં સ્વસ્થતા અને સંસ્કારિતા સ્વીકારનાર શાન્ત વિચારકની પ્રકૃતિની છે.

કૉલેજમાં મુકુન્દરાય મિસ ગુપ્તાનું મન હરણ કેવી રીતે કરે છે તેનું સુભગ ચિત્ર આપ્યું છે.