પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
३६


ઝમકુકાકીના પહેલાંના આભારના ભાવભીના સ્મરણથી તેમને પેાતાની સાથે મુંબઈ લઇ જાય છે. ત્યાં ઝમકુકાકીનું શૂન્ય જીવન ધીમે ધીમે ઉદ્દેશોથી ભરાતું જાય છે અને ડોશી જૂની પ્રૌઢતા પાછી પ્રાપ્ત કરે છે.

આખી વાર્તાનો સાર લેખકના શબ્દોમાં કહીએ તો "ઝમકુકાકી જેવાં ઘણાં ચ બિચારાં પ્રેમને અભાવે વૃથા જીવન ગાળતાં હશે."

વાતની શરૂઆત, દ્વિરેફ ભાવ પ્રમાણે શબ્દશૈલી કેવી ઘડી શકે છે તેનો સુંદર નમૂનો છે ! ડોશીના છોકરાના મરણથી જે કાળો કેર થઈ ગયો છે તેનું બહુ બલવાન આલેખન કર્યું છે; અને ડોશીના દિલનું દર્દ પણ હિંંદુ કુટુંબજીવન તક્ સહાનુભૂતિથી જોનાર જ ચીતરી શકે એવું છે.

ડોશીના ચિત્તનાં પરિવર્તનો, કમલાની સ્ત્રીસહજ સમજણ અને પ્રેમ ગુજરાતના સ્ત્રીજીવનમાં દષ્ટિવાળા લેખકનાં છે.

આ રીતે તેરે વાર્તા ગુજરાતના ચાલુ જીવનમાં સહેજે સ્ફૂરતી વાતો છે. વાંચનાર જોશે કે પ્રત્યેક વાત વૈશિષ્ટ્યવાળી છે અને દરેકમાં કાંઇ ને કાંઇ નવીનતા છે. છતાં વાંચનાર વાર્તાની કલાના જે ક્રમિક વિકાસ આમાં દેખાય છે તે ઉપરથી જોશે કે ‘અભ્યાસથી નિપુણતા વધે છે' એ નિયમ, દ્વિરેફને પણ લાગુ પડે છે ! હસવું અને રડવું એ બે જીવનના મુખ્ય ભાવો છે. દ્વિરેફ આંસુને હાસ્ય નીચે છુપાવવાનું વધારે પસંદ કરે છે!

દ્વિરેફની આ વાતો ફિલસૂફની તટસ્થતાથી લખાઈ છે કે નહિ તે વિશે નિર્ણય આપવાનો મારો અધિકાર નથી ! લાગણીના પ્રવાહમાં ખેંચાઈ જઈ સંયમ ન વીસરવો-એ ફિલસૂફનું લક્ષણ હોય તા તે આ વાર્તામાં છે! પણ ફિલસૂફ