પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
३८


કઇ જીવતી વ્યક્તિમાંથી લીધો છે અથવા કઈ વ્યક્તિ માટે છે તેની પણુ મને ખબર પડતી, અને તે તે વાત ‘ યુગધર્મ ’ કે ' પ્રસ્થાન ‘ માં પ્રકટ થાય તે પહેલાં મને મત આપવાનો અધિકાર મળ્યો હતો !

પણ અત્યારે તે મને ઉપોદ્‌ઘાતના લેખક તરીકે ઉપરીપણું મળ્યું છે એટલે એ હોદ્દાની રૂએ બધા ઉપોદ્‌ઘાતકારોની જેમ હું પણ આશા રાખીશ કે લેખક આ સંગ્રહમાં જે આશા ઉત્પન્ન કરે છે તેને આવા બીજા સંગ્રહો પ્રકટ કરી પૂરી કરશે !

તા. ૨૫-૧૧-૩૦
માદલપુર
અમદાવાદ
રસિકલાલ છો. પરીખ