નહોતો એટલે ૧૮ મીએ ગામના ખાનગી ડૉકટર પાસેથી લીધી. અને ૧૯મીએ રેલ્વે ડૉકટરની લીધી.
દુર્ગાશંકર : તમારા ભાઇનું નામ શું?
રમણલાલ : મણિભાઈ. કેમ તેનું શું છે?
છેોટાલાલ [ ખડખડાટ હસતો ]: હું સાન્ટાક્રુઝ રહેતો, ત્યારે મારી પાડોશમાં એ ભાઈએ રહેતા. બન્નેના ઇનિશિયલ એક એટલે એક જ રેલ્વે પાસથી મુસાફરી કરતા.
રમણલાલ : તે તમે મારા ઉપર આવો હલકો વહેમ લાવતાં શરમાતા નથી !
મગનલાલ : તે હું ક્યાં કહું છું કે તમે એમ કર્યું છે?
દુર્ગાશંકર : માસ્તર, તમારો કેસ કોણે કઢાવેલો?
રમણલાલ : મારા ભાઈએ જ.
દુર્ગાશંકર : ત્યારે આમાં ૩૦ વરસ કેમ લખ્યાં છે? તમને તો ચોખ્ખાં ૩૫-૩૭ છે. ફરીવાર પરણવું છે કે શું ?
રમણલાલથી પણ હસ્યા વિના રહેવાયું નહિ. તેણે કહ્યું: તે તા હું શું જાણું ? કંઈ સરતચૂક થઇ હશે. આટલી ઉલટ તપાસ કરો છો તે કેમ કાંઈ હું ગુનેગાર છું શું?
દુર્ગાશંકર : ગુનેગાર તો નહિ પણ આમાં તો તા. ૨૩મી સુધી દવા લીધી છે. તમે ૨૧મીથી તો અહીં છો!
રમણલાલ : તે તો ગમે તેમ થયું હોય. પણ તે ઉપરથી તમારે કહેવું છે શું? શું મેં સર્તિફિકેટ ખોટું બનાવ્યું ?
મગનલાલ : રેલ્વેમાં કંઇક ગોટાળા થાય છે. તેનું કાંઈ કહેવાય નહિ.
રમણલાલ ઃ ત્યારે તમે મગાવ્યું શા માટે? તમે પોતે