પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સરકારી નોકરીની સફળતાનો ભેદ


સામાનો બાપ ૪૫ વરસે પરણ્યો હતો તે પછી તેને સાત દીકરા થયા હતા અને તેની મા ભાગ્યશાળા હતી તે ચૂંદડી ઓઢીને ગઇ હતી. બીજા એકનો મામો પચાસ વરસે પરણેલો અને એકના ફુવા સાઠ વરસે પરણેલા અને બધા સુખી થયાના દાખલા થોકબંધ મારી પાસે રજૂ થયા. બધાએ કહ્યું: “એ તો સૌ સારાં વાનાં થશે." કોણ કહે છે હિંદુઓ આશાવાદી નથી ? પણ છેવટે બે માણસ આગળ મારી હઠ છૂટી ગઇ. એક કહેઃ “ તમે મોટા શેના કહેવાઓ ? એ તો કુળવાન એટલે નાનપણથી પણ્યા અને છોકરાં થયાં. નહિ તેા પરણવાની ઉમ્મર તો હવે જ તમારી થઈ કહેવાય. અંગ્રેજો તો આવડી ઉમ્મરે હજી કુંવારા હોય છે." બીજાએ કહ્યું: “ તમને તમારી માની પણ દયા નથી આવતી ? બૈરાંની સેવા તો બૈરાં જ કરી શકે, તમે શું કરવાના હતા ? ” હવે પશ્ચિમ અને પૂર્વ બન્ને આદર્શોથી મારે પરણવાનું સિદ્ધ થયું. કેમ, મોટી ઉમ્મરે પરણવું એ પશ્ચિમનો આદર્શ નહિ ? અને માતપિતાની ખાતર પરણવું, પરમાર્થની ખાતર પરણવું એ આપણા પૂર્વનો આદર્શ નહિ? કેમ તમે ન સમજ્યા ? સરસ્વતીચંદ્ર માતપિતાની ખાતર જ પરણવા તૈયાર થયો હતો ના! એ આપણા પૂર્વના આદર્શ. તમને મશ્કરી લાગે છે એમ? ભાઈ તમે હિંદુ લગ્નનું રહસ્ય જાણતા જ નથી. હિંદુઓના પહેલા લગ્નને માટે કશા કારણની જરૂર હતી નથીઃ અને બીજા લગ્ન માટે દરેક હકીકત કારણ બને છે.

હજી ઘણી મુશ્કેલીઓ હતી, બહારની તેમ જ મારા અંત:કરણની. પણ મારા જીવનનો મુખ્ય નિયમ એ છે કે એક વાર મુખ્ય સિધ્ધાન્ત નક્કી થઈ જાય પછી વિગતોમાં ઘણી છૂટ

૪૫