પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એક નાનકડી ભૂલથી, કે નાનકડી લાલચની નિર્બળતાથી—જ્યોતિષને મિથ્યાશ્રુત માનવા છતાં જ્યોતિષ ઉપર આધાર રાખી તેમણે વિમલશીલ પાસે માગણી કરી, તેમાંથી.

અને ‘કેશવરામનું’ રહસ્ય તો વાર્તાને અંતે સ્ફુટરૂપે કહેવાયું છે. કેશવરામ સામાન્ય કરતાં ઘણી ઊંચી કોટિનો માનવ છે, અને છતાં માનવોત્તર નથી. તેણે એક માનવોત્તર શક્તિ મેળવી છે—અથવા મેળવી છે એમ માને છે. એવી શક્તિનો ઉપયોગ વ્યક્તિની કામના તૃપ્ત કરવા ન કરવો જોઈએ એમ તે જાણે છે, અને અત્યંત પ્રિય પત્નીના આગ્રહ છતાં પુત્રાર્થે એનો પ્રયોગ નથી કરતો, એટલે અંશે તે સિદ્ધાન્ત ઉપર ટકી રહે છે. પણ દ્વેષના આવેશમાં તે એનો ઉપયાગ કરી બેસે , અને તેમાં પોતાનું સર્વસ્વ ખુએ છે! અને એ સઘળું છતાં, અંત સુધી તેણે એ અનિષ્ટ નીવડેલી શક્તિ સાચવી રાખી છે તેની તેને ખબર પણ હોતી નથી. સર્વ ઐહિક વસ્તુઓમાં એ શક્તિનો તે સૌથી છેલ્લો ત્યાગ કરે છે !

આ સંગ્રહમાં, ગયા સંગ્રહમાં શરૂ થયેલી મેહફિલની બે વાર્તાઓ આવે છે. એના રહસ્ય વિશે મારે પ્રસ્તાવનામાં કહેવાનું હોય નહિ, કારણ કે એ પ્રકાર જ એવો છે જેમાં વાર્તા વિશે લેખક પોતાનાં પાત્રમુખે ઘણું કહેવરાવી શકે છે. એવા પ્રકારમાં તો ઊલટું મારે એમ કહેવાનું થાય છે કે એમાં પાત્ર, જેટલી એકદેશીયતા કે પક્ષિલતાથી બોલે છે તે સઘળી મારી પોતાની નથી.

એકવાર મારી વાર્તાના ઘડતર વિશે બોલવાનું આમન્ત્રણ મળતાં આમાંની કેટલીક વાર્તા વિશે મેં થોડું કહ્યું છે તે અહીં ફરી કહેવાની મને જરૂર જણાય છે. “અમદાવાદમાં એકવાર એક સુંદર જુવાન મારવાડી દંપતી રેંકડી ખેંચતાં જોયેલાં, તે દૃશ્ય ઉપરથી ‘રેંકડીમાં’ વાર્તા લખાઈ છે. તેના અનુસંધાનની ‘કંકુડી અને કાનિયો’ વળી જુદીજ રીતે લખાઈ છે. મારા મિત્ર શ્રી ગિરીશભાઈ એ ‘રેંકડીમાં’ના અનુસંધાનની એક વાર્તા મને લખી મોકલી અને મારો અભિપ્રાય