પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१०

પૂછ્યો. મેં કહ્યું : “મારાં કંકુડી કાનિયો આમ દુઃખી થાય તે મને નથી ગમતું.” મારા જવાબમાં મશ્કરી હતી, પણ પાત્રો તરફ પણ મમત્વ થાય છે એ ખરું છે. પણ એ પત્ર ઉપરથી મૂળ વાર્તાના વિસ્તાર ઉપર મન ચડી ગયું ને તેમાંથી ‘કંકુડી અને કાનિયો’ લખાયું.

“વળી કોઈવાર—જો કે જવલ્લે જ—વાર્તાનો કેટલોક ભાગ સ્વપ્નમાંથી લીધેલો હોય છે. ‘એક સ્વપ્ન’ની વાર્તાના કેટલોક ભાગ સ્વપ્નમાં ખરેખર જોયેલો હતો. તેમાં સ્વપ્રમાં જોયેલ પ્રદેશનું કરેલું વર્ણન સ્વપ્નમાં જોયા પ્રમાણે કરેલું છે, અને અત્યારે જો કે આખું સ્વપ્ર બરાબર યાદ નથી, પણ એટલું બરાબર યાદ છે કે, એ વાર્તાનું રહસ્ય સમાજમાં જોઈ મને જે આઘાત થયો એ જ આઘાતના પરિણામનું એ સ્વપ્ન હતું. તેમાં કંઈક એક સ્ત્રી આવતી હતી, કંડિયામાંથી મદારીએ એક મરેલું છોકરું કાઢેલું, અને પછી એ છોકરું લઈ નૃત્ય કરેલું એવું ઝાંખું યાદ છે, અને પછી તે જ આઘાતથી એ સ્વપ્નની હકીકતમાં બીજી ઉમેરાઈ એ લખાઈ.

“થોડા સમય પર લખાયેલી ‘સૌભાગ્યવતી !!’ પણ આવી જ રીતે [મનને દુઃખ કે આઘાત થવાથી] લખાયેલી છે, શ્રીમતી શારદા બહેને એક વાર્તા લખીને મને બતાવી. તેના રહસ્ય ઉપર અમે ચર્ચા કરી. એ રહસ્ય સંબંધી તેમણે મને કહ્યું કે ગામડાંમાં કણબણોએ તેમના જીવનની આ કરુણ કહાણી પોતાને ખાનગીમાં કહેલ છે. તેમણે ખાસ કોઈ દાખલો આપ્યો ન હતો, પણ મને એ વાતની અસર થઈ અને તેથી મારા મનમાં ‘સૌભાગ્યવતી !!’ ઘડાઈ. શારદા બહેને ગયા ‘ગુણસુંદરી’ના અંકમાં એ અસલ લખેલી વાર્તા પ્રસિદ્ધ કરી છે. તે સહેજ જણાવું છું.”

આ વાર્તા સુરુચિનો ભંગ કરે છે એવી ચર્ચા કેટલેક સ્થળે થઈ છે. સુરૂચિ અને અશ્લીલતા વિશેના મારા વિચારો મેં આ પહેલાં ચર્ચેલા છે. આ સંગ્રહમાં પણ મેહફિલની છેલ્લી વાર્તામાં તેની ચર્ચા આવે છે તેથી આ સ્થાને હું તેની ચર્ચા કરવા ઈચ્છતો નથી. માત્ર