પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
ઉત્તર માર્ગનો લોપ.


આ કોઈએ જોયું નહિ. વહાણનાં ઘણાંખરાં તો આ વખતે ગાંસડીઓની માફક ભંડકિયામાં ધેાળાતાં હતાં, અને જે થોડાં શુદ્ધિમાં હતાં તે વહાણ નહિ બચવાની બૂમ સાંભળી પોતે બચવા અને પેાતાનાંને બચાવવા બેબાકળા થઈ ગયાં હતાં. બધે અવ્યવસ્થા પથરાઈ ગઈ હતી. માત્ર પૌરાણિક અનેક વરસોની સેવેલી આશાની આતુરતાથી સાધકસાધિકા તરફ જોઈ રહ્યો હતો. તેણે આ જોઈ એકદમ વહાણ પાછું લેવાને સુકાનીને કહ્યું. એકદમ પાછાં ફરવાના હુકમો અપાયા. ખારવાઓએ નવી આશાથી ફરી દોડાદોડ કરી અને ઘૂમરીથી વહાણ બચી પાછું ફર્યુ. ફરી નદીના મુખ ઉપર આવતાં તોફાન પણ બંધ થયું અને પૌરાણિકે નજીક જ કિનારે જ સૌને ઊતરવાના હુકમ આપ્યો. કોઈ કશું સમજ્યું નહિ. કોઈ ને અપશુકનને લીધે પાછા ફર્યા એમ લાગ્યું, કોઈને જ્વાળામુખીનો કોપ થયો લાગ્યું, કોઈએ તો એમ જ માન્યું કે પ્રદક્ષિણા કરીને પાછાં ફર્યાં છીએ.

પૌરાણિકે સર્વને દેવીગ્રામ જવા ફરમાવ્યું, અને સર્વે જમી પરવાર્યાં એટલે તેણે શાસ્ત્રીઓની અને ભક્તોની સભા ભરી, સાધકોને સર્વની સમક્ષ ઊભાં રાખ્યાં. સર્વને સંબોધીને તેણે કહ્યું; “સાધકોની તપશ્ચર્યાનો ભંગ થયો છે. આપણી પ્રણાલિકા પ્રમાણે તેની વિધિપુરઃ- સર તપાસ હવે કાલે થશે. આજે હવે સાધકસાધિકાથી ચાચરમાં રહી શકાશે નહિ. તેમણે ચાચર બહાર ધર્મશાળામાં રહેવું. અને બન્નેનો કે સાધક કે સાધિકાનો દોષ સાબિત થાય તો શાં શાં પરિણામ આવે, ન સાબીત થાય તો શું પરિણામ આવે તેનાં શાસનો, નિયમ પ્રમાણે બન્નેને વાકેફ કરવા હું આ તેમને આપું છું. કાલે શ્રવણને સમયે આ સભા અહીં જ ભરાશે.” આખી સભાએ એક લાંબો નિશ્વાસ નાંખ્યો. સર્વેએ બહુ જ આર્દ્રતાથી સાધક-સાધિકા તરફ જોયું પણ દેવીના શાસન આગળ સર્વ લાચાર હતાં.

સાધકસાધિકા ધર્મશાળામાં ગયાં. જાણે વહાણ ભાંગીને નિર્જન