પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
દ્વિરેફની વાતો.


એ મૃત્યુના મુખ જેવા અંધકારમાં પણ આ દંપતીના સ્મિતથી ઘડીભર અજવાળું થઈ રહ્યું !

સવારે પૌરાણિક અને ભક્તોએ બંનેનાં પાસે પાસે, સ્વસ્થ સૂતેલાં, શાન્ત, ઊંઘતાં હોય તેવાં મુડદાં જોયાં.

તે પછી કદી પૌરાણિકને ભક્તો પાસેથી સાધકસાધિકા મળ્યાં જ નહિ. ધીમે ધીમે દેવીગ્રામ વીખરાઈ ગયું, પૌરાણિક એકલો જ ત્યાં રહ્યો. તેણે ઉત્તરમાર્ગના લોપનું એક પ્રકરણ પૌરાણિક ઢબે તેમાં ઉમેર્યું !