પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ

સભા પાંચમી

મેં કહ્યું : કેમ ધીરુબહેન, આજે બોલાવ્યો ?

કેમ શું? મારી વાર્તા તૈયાર થઈ ગઈ છે. પછી ક્યાં સુધી રાખી મૂકવી ? એમનું મન વાર્તામાંથી દહાડે દહાડે ઊઠતું જાય છે. એ હમણાં હમણાં આ લડાઈના અને કહેવાતાં હિંદુ-મુસલમાન હુલ્લડોના વિચારોરામાં પડી ગયા છે. અને પ્રમીલા બહેન થોડા દિવસમાં સાસરે જવાનાં છે. પછી મારે વાર્તા સાંભળનાર શ્રોતાઓ તો જોઈએ ને.

મેં કહ્યું: તમારે ઝાઝા શ્રોતાઓની વળી કે દાડે જરૂર છે? કહેતાં’તાં ને કે તમે તો ચીનુને ઘણીએ વાર્તાઓ કહી છે, તેમાંથી એકાદ કહેવાનાં છો. તમારે તો એક શ્રોતા પણ બસ ગણાય.

ધીરુ બહેન: એ ચીનુ એક હોય તો બસ ગણાય. પણ તમો તો બધાંની જ જરૂર પડે, કારણ કે ઘણા હોય તો તેમાંથી એકાદ પણ અધિકારી શ્રોતા મળી રહે.