પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કમીશનની માંગણી કરી અને છેવટે રિસ્થતિ એવી થઈ કે વડી સરકારને વચ્ચે પવું પડયું. કમીશન તે નીમાયું પણ તેથી દાદ મળે એવી બહુ આશા રાખી શકાય તેમ નહતું; કેમકે તેમાંના ત્રણમાંથી બે ગ્રહસ્થ હિંદી વિરૂદ્ધની લાગણી બતાવનારા હતા એવું હિંદીઓએ અગાઉના અનુભવે જોયેલું હતું. આ વખતેજ સરકારે હિંદી આગેવાનોને જેલની મુદત પૂરી થયા પહેલાં છોડી મૂકયા. તેમણે પણ કમીશન કબુલ ન રાખી શકાય એવું છે તેમ સલાહ આપી. અને સંતોષકારક દાદ ન મળે તે ૧૯૧૪ ના નવા વર્ષની પ્રભાતે ડર્બનથી માટી કુચ ઉપાડવાની ગોઠવણે થઈ, અને સરકારને તેની ખબર પણ અપાઈ ગઈ. પણ તેવામાં હિંદુસ્થાનથી સી. એંડર્સ અને પીઅર્સન નીકળી ચુકયાના ખબર મળેલા અને વાઈસરોયના પ્રતિનિધિ સર બેંજામીન રબર્ટ સન મુંબઈથી ખાસ સ્ટીમરમાં ઉપડયા. તેઓ ડન આવે ત્યાં સુધી માર્ચ શરૂ કરવાનું કામ થાભાવવાનું નક્કી થયું. તેઓ આવ્યા અને વિષ્ટિનું કામ શરૂ થયું. કમીશને પણ પોતાનું કામ શરૂ કર્યું', પણ હિંદીઓ પોતે લીધેલા સેગનથી કેમ ચળી શકે ? કમીશન સન્મુખ જુબાની આપવાની તેઓએ ચાખી ના પા. આ અરસામાં બધા સત્યાગ્રહી કેદીઓ યુનીઅનની જુદી જુદી જેલમાંથી છુટયા. તેમાંથી એક, બેન વાલીઓમાં જે તા. ૨૨ મી ડીસેમ્બરે પોતાની માતા સાથે ત્રણ માસની