પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

દયામણી સ્થિતિ જોઈ તેના દિલમાં લાગણી પણ ઉત્પન્ન થઈ આવતી. આવા વિચારમાં ને વિચારમાં તે મોડી રાત સુધી ઉંધી નહિ. તેણે પોતાના ધણીને પણ જાગતા જોયા. નથુ એ પૂછ્યું: “કેમ ? તું પણ જાગે છે કે ? ” સ્ત્રીએ કહ્યું: “ હા તમે બંને જણાએ બધી રોટલી ખલાસ કરી છે. તેથી હવે કાલે શું કરીશું તેના વિચારમાં હું પડી છું. હું ધારૂ' છું કે કાલે પાડોશીને ત્યાંથી રોટલી ઉછિની લાવવી પડશે તે સિવાય બીજો રસ્તો નથી. , નથુએ કહ્યું:–“જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધીની આપણી ફિકર તે પરમ દયાળુ પિતાનેજ છે. * કીડીને કણ અને હાથીને મણું,' એમ સૈ સાની જરૂરીઆત પ્રમાણે તે આપે છે. તે તારી અને મારી ચિંતા શુ કામની ?” તે સ્ત્રી આ સાંભળી શાંત થઇ અને થોડી વાર પછી પૂછવા લાગી—“આ દેવદૂત ભલા માણસ દેખાય છે. પરંતુ એ પોતાના વિષેની હકીકત કેમ આપણને જણાવતા નથી .?” નથએ કહ્યું: “એ નહિ જણાવી શકે એવી સ્થિતિમાં હો. એટલે આપણે જાણવાની શી જરૂર છે ?' સ્ત્રીએ કહ્યું: “ એ તો ઠીક. પરંતુ આપણે બીજાઓને આપણી સ્થિતિ પ્રમાણે મદદ આપીએ છીએ. ત્યારે આપણને કેમ કોઈ આપતું નથી ? ” નથને આ પ્રશ્નના જવાબ શું આપ, એ સૂઝયું નહિ, તેથી કહ્ય': “ બસ હવે વાતા બંધ કર, અને સૂઈ જા. મને ઉંધ આવે છે. ' એમ કહી નથુ બોલતો બંધ પડી; અને થોડી વારમાં સા નિદ્રાવશ થયાં. Gandhi aaa Dortal