પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માગીએ છીએ. અમે શબ્દે શબ્દ તરજુમો નહિ આપતાં તેનો મુખ્ય સાર આપીશું.

આપણે દક્ષિણ આફ્રીકામાં બલ્કે આખા હિંદમાં હજી ઘણાં કામો કરવાનાં છે. ત્યારેજ હિંદની હાડમારી દૂર થાય તેમ છે. આપણને સોકરેટીસની માફક જીવતાં અને મરતાં આવડવું જોઈએ. સેાકરેટીસ તે વળી માટે સત્યાગ્રહી હતો. તે પોતાનીજ પ્રજાની સામે સત્યાગ્રહી થયો. તેથી ગ્રીક પ્રજા મોટી થઈ. આપણે કાયર થઈને, અથવા આપણને માન નહિ મળે કે આપણો જીવ જશે, એવી ધાસ્તીથી આપણામાં રહેલી ખામીએા નહિ તપાસીએ, જાણ્યા છતાં તે તરફ પ્રજાનું ધ્યાન નહિ ખેંચીએ ત્યાં લગી, બહારના સેંકડો ઈલાજો લેતાં છતાં - કોંગ્રેસો ભ૨તાં છતાં - એકસ્ટ્રીમીસ્ટ બનતાં છતાં - હિન્દનું ભલું કરવાના નથી - તેનું ભલું તેમ થવાનું નથી. ખરા દરદને પીછાની તેને ઉધાડું કરી, તેને લાગુ પડે તેવા ઈલાજો લઈ જ્યારે હિંદનું બ્હારનું અને અંતરનું શરીર દરદરહિત થઈ ચોખ્ખું થશે ત્યારે અંગ્રેજી કે બીજા જુલમરૂપી જંતુઓ તેને કશી ઈજા પહોંચાડી શકશે નહિ, પણ જો શરીર સડેલું - પોતે સડેલું હશે તો એક જાતના ચેપી જંતુ ચડી બેસશે, અને હિંદ-શરીરને પાયમાલ કરશે.

આ વિચારો ધ્યાનમાં લઈ, સોકરેટીસ જેવા મહાત્માના વાક્યોને અમૃત સમાન જાણી તેના ઘુંટડા અમારા વાંચનાર પીએ અને તેથી અંતર રોગને નસાડી બીજાને એવા રોગ નસાડવામાં મદદ કરે એવા હેતુથી અમે સોકરેટીસના ભાષણનો સા૨ આપીએ છીએ.


મો. ક. ગાંધી.