પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૧૦૩]
 

૫.


અડવે પગ આવ ચલી, શરમા નહિ,
મેંદી પીસી મેં કટોરા ભર્યા,
ઘનઘોર નિરાશાનાં મોતીને ઘૂંટીને
શીતળ મેં સુરમા સંઘર્યા;
બીજાં કાજળ હોય બજારૂ જો નેનોમાં
ધોઈ લે, આ દિલ–હોજ ભર્યા;
બીજી લાલી જો હોય લગી પગપાનીએ
નાખ લુછી, આ લે ઠીકરડાં,

૬.


કવિ કૂડ કહે, કદી માનીશ ના,
એને ગામ ગુલાબોની બાગ નથી;
એના બોલની ડોલરમાળ તણા
એના આાંગણમાં જ સોહાગ નથી;
એના કોકિલ–કંઠ કુહાવનહાર કો
સાખભર્યા ત્યાં ન અંબ લચે,
એની ભોમ ને વ્યોમ વચ્ચે રજ–ડમ્મર
મોત તણા તાતા થંભ રચે.