પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪

મીંડવું છું. બેઉ આમાં મૂક્યાં છે. જતીન્દ્રના આત્મસમર્પણને બિરદાવવા જતાં શબ્દોમાં કટુતા, ઉગ્રતા, કંઈક અંશે ફિશિયારી આવી છે. ને સમાપ્તિમાં–

'રજ રજ નોંધી રાખશું, હૈય, બીચ હિસાબ,
'અવસર આવ્યો માગશું, કિસ્મત પાસ જવાબ
'માગવા જવાબે એક દિન આવશું,
'ભૂખરી પતાકા સંગમાં લાવશું
'અમારા રક્તના હોજ છલકાવશું
'માતનો ધ્વજ ફરીવાર રંગી જશું.'

એવી દાંત-કચકચાટી છે. તેની સામે નવા ‘ફાટશે અગ્નિથંભો’માં નિર્દોષ પ્રજાજાગૃતિ રૂપી પ્રહ્લાદ પર કેર ગુજારનારા પીડકને માટે આખરી અંજામ તો, હિરણકક્ષ્યપુને થયો હતો તેવો જ કલ્પ્યો છે, કલ્પના તે એજ કારમા રૂપમાં કરી છે કે બરાબર સંક્રાંતિના ઊંબર પર પ્રજાત્વનો ધગેલો થાંભ ફાટશે, પણ સંહારતત્ત્વની બિભીષિકા તેટલે જ અટકે છે અને ગવાયું છે કે—

‘ને ત્યાંથી કોણ નરસિંહ ?ના, ના, કોક નવ રૂપે,
'અપાપી પાપીની સૌની ઊઠશે અંબિકા રૂપે.'

એ જ મંગળ તત્ત્વની અંતિમ પ્રતિષ્ઠા, પરઆંગણેથી આણેલા રોપ 'કાંતનારાં’માં પણ મારી નજરે પડી છે. પીડિત પૃથ્વીસમાજના બે પ્રતિનિધિઓ જેવાં એ બે પાત્રોના પરસ્પર ઉદ્ગારોમાં, યુવાન પૌત્રી આગ વરસાવે છે, વૃદ્ધ દાદી આખરી આસ્થાનું જળસિંચન કરે છે, ને 'જો બેટા, લેરખી આવે સંદેશા લઈ ભાણના’ એવી એ બુઢ્ઢીની આશા-મીટને બળે બન્નેનો હૃદયધ્વંસ થતો બચે છે, કટુતાનું વિષપાન થંભી જાય છે.