પૃષ્ઠ:Ek-Taro.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨

રવીન્દ્ર-પ્રસાદી

ને કલ્પનાને બ્રહ્માંડ-તોરણે અડી આવવાનો બીજો મોકો, 'જોગંદર જગદીશ'માં મળ્યો છે. જડ ચેતન સચરાચરમાં જીવન−તત્ત્વ નામનું કેન્દ્ર ખોજતા એ વૈજ્ઞાનિકને મૂળ કાવ્યકર્તા શ્રી રવીન્દ્રનાથે જ એવો રહસ્યવેત્તા, Mystic આલેખ્યો છે, કે અંગ્રેજી પરથી ગુજરાતી ચિત્ર તો રમતું રમતું આવી ગયું. ક્ષુદ્રતાએ ભરી સાંકડી સૃષ્ટિ ખદબદતી હતી તેજ જમાનામાં આ શોધક તપોધન વિશ્વના શેષ સીમાડા વટાવતો હતો. દૃશ્ય જગતના છેલ્લા સીમાડા વટાવીને એણે તો જીવન−કિરણની શોધમાં અરુપની ગાયબ દુનિયાનાં દ્વાર ખખડાવ્યાં. એ પારગામિતાનાં દ્વાર આર્ય મહર્ષિઓએ એની સન્મુખ ઉઘાડાં મૂક્યાં. જૂજવાં જીવસ્વરૂપની સૃષ્ટિને પાર બેઠેલા એકાત્મનાં એણે દર્શન કર્યા. એ આખું જ ચિત્ર આપણી કલ્પનાને વિક્રમશીલતાનાં સાજ સજાવી અપાર્થિવ વિભૂતિ વડે અંકિત કરે છે, શકયતાઓ અને સિદ્ધિઓના સીમાડા કમ્પાયમાન બને છે, પ્રજ્ઞા અને અને પારગામિતા કવિતાંગણમાં રમવા ઊતરે છે. એ પ્રાસાદી ટાગોર પાસેથી મળે છે.

કટાવના ટુકડા

એ રવીન્દ્ર-વાણી ઝીલતા ગુજરાતી કટાવ−ટુકડાને કંઠના હીંડોળે હીંચોળતાં હીંચોળતાં મારી કવિતાઓની બીજી ક્ષુદ્રતા કે લધુતાઓ ભૂલી જવાય છે, ને જીભ અણથાકી નાની કિશોરી રૂપે જાણે દોરી–કુદાવ કરવા લાગે છે -

'ખદબદતી જનતાના પાગલ
'કોલાહલમાં અણચલ રહીને
'કોણ મળ્યો તું