પૃષ્ઠ:Ek-Taro.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૪]
:એકતારો:
 


હિન્દીજન
[વૈષ્ણવ જન તો તેને કહીએ જે – એ ઢાળ]
Ο

હિન્દીજન તો તેને કહીએ જે
કર જોડી રહે ઊભા રે
એકબીજાના કાસળના જે
ખૂબ કરે મનસૂબા રે—

આંતરરાષ્ટ્રીય ઉત્પાતોમાં (જેને) સૂઝે એક જ રસ્તો રે
ચેમ્બરલેન હિટ્લર કે સ્ટેલીન સૌનો ખાવે ઘુસ્તો રે
હિન્દીજન—૧.

શૂરાતન વ્યાપે નહિ જેને, દૃઢ કિન્નો જેના મનમાં રે,
કોમ પંથ શું તાળી લાગી, સકળ સ્વારથ તેના તનમાં રે
હિન્દીજન—ર.

સકળ દેશથી સૌ કોઈ આવો ! દાસ થશું સહુ કો’ના રે!
હોશકોશ જેના જાય હાકોટે ધન ધન પૂર્વજ તેના રે
હિન્દીજન—૩.