ક્રાઇમીયાની મોટી લડાઈમાં ફ્લૉરેન્સ નાઇટીંગેલે જે અખંડ
નામના મેળવી તે પહેલાં તેમના મિત્રોને તે ભવિષ્યની તેમની ખ્યાતિની
ઝાંખી થતી હતી.
આ મહાન્ સંગ્રામ ઈ. સ. ૧૮૫૪ ની વસંત ઋતુમાં શરૂ થયો. ઘણા વખતથી ગ્રેટબ્રિટન અને રૂશિઆ સાથે ઝગડો ચાલતો હતો. ૧૮૫૪ ના માર્ચ મહિનામાં ગ્રેટબ્રિટન તરફથી છેવટની સૂચના મોકલી તે રૂશિઆએ સ્વીકારી નહિ, તેથી ઇંગ્લંડને તુર્કસ્તાનના સુલતાનને મદદ કરવાની અને રૂશિઆ સાથેનો સંબંધ તોડી નાંખવાની અગત્ય પડી અને રૂશિઆની સાથે વિગ્રહ શરૂ થયો.
આ વખતે ફ્રાન્સ અને ઇંગ્લંડનો એકારો હતો તેથી ફ્રાન્સ અને ઇંગ્લંડ બંને દેશમાં રણસંગ્રામ માટે તૈયારી થવા માંડી, સર ચાર્લ્સ નેપીઅરને નૌકા સૈન્યના ઉપરી તરીકે મોકલવામાં આવ્યો હતો. આખા દેશને લડાઈમાં યશ મેળવવાને માટે ઘણો જ ઉત્સાહ હતો અને તેથી જ સર્વ સૈનિકો જુસ્સાભેર તૈયારી કરતા હતા.
એક પછી એક બ્રિટિશ સૈન્યની જીત થયાની ખબર આવતી. પરંતુ એ વિજયની ખબર સાથે એવા સમાચાર આવવા લાગ્યા કે ઘાયલ થયેલાની સંખ્યા દિવસે દિવસે ઘણી જ વધી જાય છે. દર્દીઓની સંભાળ બીલકુલ લઈ શકાતી નથી અને માણસો કૂતરાં બિલાડાંની માફક મૃત્યુ વશ થાય છે. લશ્કરની વ્યવસ્થામાં ઘણી જ ગફલત થતી હતી. સૈનિકેાનો ખેારાક ખુટી પડયો હતો.
દારૂગોળાની નીચે ખોરાક, કપડાં વગેરે સર્વ ચીજેને ભરી દેવાઈ ગઈ હતી, તેથી જયારે તેની જરૂર પડી ત્યારે કાંઈ બહાર નીકળી શક્યું