રોકડાં નાણાંમાંથી તે પાતાને યોગ્ય લાગે તેવીજ વસ્તુઓ મંગાવી શકતાં અને એક પાઈ વ્યર્થ જવા દેતાં નહિ.
મિ. મેકડોનલ્ડ એક પત્રમાં લખે છે કે — "જે જગ્યાએ ઘણો જ ભયંકર રોગ હોય અને જ્યાં જમરાજના દૂત રાહ જોઈને જ બેઠા હોય તે જગ્યાએ તો દેવી સમાન મિસ નાઇટીંગેલ હાજર હોય જ. મૃત્યુ વખતે તો એ પવિત્ર મૂર્તિની અસર કાંઈ વિચિત્ર જ થતી. જ્યારે જ્યારે એ રવેસમાં કે ઓશરીપર ફરતાં ત્યારે તેમને જોઈને દરેક દર્દીના ચહેરા ઉપર ઉપકારવૃત્તિ માલુમ પડી આવતી. જ્યારે બધા ઉપરીઓ અને નોકરો તપાસ કરીને પરવાર્યા હોય ત્યારે આ નાજુક સ્ત્રી હાથમાં નહાનો દીવો લઈને એારડે એારડે ફરતી.
"પ્રથમથી લોકો આ હીંમતવાન સ્ત્રીના ધર્મને વખાણતા હતા. એમાં જરા ભૂલ નહોતી. ઈશ્વર કરે ને એ લાંબુ આયુષ્ય ભોગવે ને વધારે કીર્તિ મેળવે, એમને જે જે નજરે જુવે છે તેને તો તેમના ફીક્કા ચહેરા ઉપરથી તેમની તંદુરસ્તી માટે અત્યંત ધાસ્તી રહે છે."
"તેનામાં સ્ત્રી જાતીને યોગ્ય સુકોમળતા, સુશીલતા, સુજ્ઞતા, ઉપરાંત ઘણી જ દક્ષતા, ધૈર્ય અને દ્દઢતા છે. મારી તો પૂર્ણ ખાત્રી થઈ છે કે મિસ નાઇટીંગેલ જો સ્કયુટેરાઈ ગયાં ન હોત તો બિચારા અનાથ સિપાઈઓની હોસ્પીટલમાં કોઈ દાદ ફરિયાદ લેત નહિ. "
મિ. મેકડોનલ્ડના ગયા પછી ફ્રાન્સથી મો. સોયર નામનો એક શખ્શ જે રસોઈની બાબતમાં ઘણો જ કાબેલ હતો તે સ્કયુટેરાઈ મિસ નાઇટીંગેલની મદદે આવ્યો. તેણે તેમને ઘણી બાબતમાં મદદ કરી અને રસોઈ ખાતામાં ઘણા ઉપયોગી સુધારા કર્યા. સરકાર તરફથી પણ તેમને એ બાબતમાં સારી સહાયતા મળી હતી અને તેથી એ ખાતામાં થોડા વખતમાં ઘણું સંતોષકારક પરિણામ આવ્યું.