પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫. નાતાલ ઍસેમ્બલીને અરજી[૧] [૨]
ડરબન,


જૂન ૨૮, ૧૮૯૪

નાતાલ સંસ્થાનની ઍસેમ્બલીના માનનીય સ્પીકર

[પ્રમુખ] અને સભ્યો જોગ
નાતાલ સંસ્થાનમાં વસવાટ કરીને રહેલા હિંદીઓની અરજી

નમ્રપણે દર્શાવે છે કે

૧. તમારા અરજદારો બ્રિટિશ પ્રજાજનો હોઈ હિંદુસ્તાનમાંથી આવી તેમણે સંસ્થાનમાં વસવાટ કર્યો છે.

૨. તમારી માનનીય કાઉન્સિલ [ઉપલી ધારાસભા] અને ઍસેમ્બલી [નીચલી ધારાસભા] માટેના સભ્યોની ચૂંટણીમાં મત આપવાની ઘટતી લાયકાતવાળા મતદારો તરીકે તમારા અરજદારોમાંના ઘણા મતદાર યાદીમાં નોંધાયેલા છે.

૩. મતાધિકારના કાયદાના સુધારાના ખરડાના બીજા વાચન પર થયેલી ચર્ચાના અખબારોમાં પ્રગટ થયેલા હેવાલો વાંચી તમારા અરજદારોને ખરેખર દિલગીરીની અને ભયની લાગણી થઈ છે.

૪. તમારી માનનીય સભા તરફ પૂરેપૂરી અદબ રાખી તમારા અરજદારો જુદા જુદા વક્તાઓએ દર્શાવેલા વિચારોથી તદ્દન જુદા પડવાની પરવાનગી ચાહે છે અને અરજદારોને કહેવાની ફરજ પડે છે કે એ કમનસીબ સુધારાનો ખરડો મંજૂર રાખવાના સમર્થનમાં આપવામાં આવેલાં કારણોને સાચી હકીકતોનો આધાર નથી.

૫. અખબારોના હેવાલો પરથી ખરડાના સમર્થનમાં રજૂ કરવામાં આવેલાં કારણો તમારા અરજદારો આ પ્રમાણે સમજયા છે:

(ક) હિંદીઓ જે મુલકમાંથી આવે છે ત્યાં તેમણે કદી મતાધિકારનો ઉપયોગ

કર્યો નથી.

(ખ) તેઓ મતાધિકારનો ઉપયોગ કરવાને લાયક નથી.

૬. તમારા અરજદારો માનનીય સભ્યોના ખાસ ધ્યાન પર લાવવા રજા માગે છે કે બધી હકીકતો અને ઇતિહાસ એથી ઊલટું દર્શાવે છે.

૭. પ્રતિનિધિત્વના સિદ્ધાંતોનો ઍંગ્લોસૅકસન વંશના લોકોને પરિચય થયો તે કરતાં કેટલાયે સમય પહેલાંથી હિંદી પ્રજાને ચૂંટણીના અધિકારનો પરિચય થયો હોઈ તેણે તેનો વહેવારમાં અમલ કર્યો છે.


  1. ૧. પહેલાં આ અરજી કાઉન્સિલ અને ઍસેમ્બલી બંનેને ઉદ્દેશીને ઘડવામાં આવેલી, પછી તેમાંસુધારે કરી તે એકલી ઍસેમ્બલીને ઉદ્દેશીને કરવામાં આવી અને કાઉન્સિલને જુદી બીજી મેકલવામાંઆવેલી; આગળ પા, ૭૮ જેવું.
  2. નાતાલના ધારામંડળમાં બે સભાએા હતી. એક, ઍસેમ્બલી અથવા નીચલી ધારાસભા અને બીજી, કાઉન્સિલ અથવા ઉપલી ધારાસભા, એ ગાળામાં નાતાલમાં અમલમાં હતી તે બંધારણી રચનાનીવિગત માટે પાછળ જેડવામાં આવેલું - “દક્ષિણ આફ્રિકામાં બંધારણ રચના” પ્રકરણ જેવું.