પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૧
નાતાલ ઍસેમ્બ્લીને અરજી

છે કે એમાંથી પ્રતિનિધિત્વવાળી સંસ્થા મારફતે કામ કરવાની આવડત અને શક્તિની સાબિતી મળે છે.

૧૩. અને સાચે જ, પ્રતિનિધિ સંસ્થા મારફતે ચાલતા વહીવટના હિંદીઓના અનુભવ તેમ જ જ્ઞાનનો ખુદ નામદાર શહેનશાહબાનુની સરકારે એટલી હદ સુધી સ્વીકાર કર્યો છે કે તદ્દન અસલ અર્થમાં હિંદુસ્તાનને સુધરાઈઓના વહીવટમાં સ્થાનિક સ્વરાજના અધિકાર અાપવામાં આવ્યા છે.

૧૪. ૧૮૯૧ની સાલમાં હિંદુસ્તાનમાં ૭૫૫ સુધરાઈ અને ગ્રામવિસ્તારોમાં કાર્ય કરનારી ૮૯૨ સ્થાનિક બોર્ડ [લોકલ બોર્ડ] હતી અને તેમાં ૨૦,૦૦૦ હિંદીઓ સભ્યો હતા. અા અાંકડા પરથી સુધરાઈઓ અને તેમનાં મતદારમંડળોના કદનો તેમ જ મહત્ત્વનો કંઈક ખ્યાલ આવે તેવો છે.

૧૫. આ વિષયમાં હજી વધારે સાબિતીની જરૂર લાગતી હોય તો તમારા અરજદારો માનનીય સભ્યોનું તાજેતરમાં મંજૂર થયેલા ઇન્ડિયન કાઉન્સિલ બિલ [ખરડા] તરફ ધ્યાન ખેંચે છે એ ખરડાથી પ્રતિનિધિત્વની પદ્ધતિ હિંદના જુદા જુદા ઇલાકાઓમાં ધારા ઘડનારી કાઉન્સિલોમાં સુધ્ધાં દાખલ કરવામાં આવી છે.

૧૬. તમારા અરજદારોને તેથી વિશ્વાસ છે કે તમારી માનનીય ઍસેમ્બલી [ધારાસભા] જોઈ શકશે કે મતાધિકારનો એ લોકો ઉપયોગ કરે તે વાતથી જેનો તેમને પહેલાં કદી પરિચય નહોતો અથવા જે તેમણે કદી ભોગવ્યો નહોતો તેવા અધિકારનો વિસ્તાર થતો નથી પણ ઊલટું તેનો ઉપયોગ કરવાની ગેરલાયકાત એક એવું અન્યાયી નિયંત્રણ હશે કે જે એવી જ જાતના સંજોગોમાં તેમના વતનમાં તેમના પર કદી મૂકવામાં ન આવે.

૧૭. તેથી વળી તમારા અરજદારો નમ્રપણે જણાવે છે કે તેમને મતાધિકારના હકનો ઉપયોગ કરવા દેવામાં આવશે તો તે બધા “જે મહાન દેશમાંથી આવે છે તેમાં ચળવળોના પ્રચારકો અને રાજદ્રોહ ફેલાવનારાં સાધનો બની જશે” એવો ડર ઓછામાં ઓછું કહીએ તો પાયા વગરનો છે.

૧૮. તમારા અરજદારો ગૌણ મુદ્દા ઉપર અને ખરડાના બીજા વાચન પરની ચર્ચા દરમિયાન નાહક કરવામાં આવેલી કઠોર ટીકા પર વિવેચન કરવાનું બિનજરૂરી લેખે છે પરંતુ જેની વિચારણા ચાલે છે તે વિષય પર કેટલાક ઉતારા ટાંકવાની પરવાનગીની યાચના કરે છે. તમારા અરજદારોએ પોતાની જાતિ વિષે બીજા લોકોએ શું માન્યું છે તેના ઉતારા ટાંકી પોતાની વાતનું સમર્થન શોધવાને બદલે પોતાનાં કામોથી પોતાની તુલના કરાવવાનું બહેતર માન્યું હોત, પણ અત્યારના સંજોગોમાં તેમને માટે બીજો કોઈ રસ્તો મોકળો રહ્યો નથી કેમ કે પરસ્પર મુક્ત વહેવારને અભાવે તેમની શક્તિ અને આવડત વિષે ઘણી ગેરસમજ ફેલાયેલી જેવામાં આવે છે.

૧૯. કૅનિંગ્ટનના ઍસેમ્બલી રૂમ્સ[સભાખંડ]માં થયેલી સભામાં ભાષણ કરતાં મિ. ઍફ. પિકટે કહ્યું હતું :

હિંદુસ્તાનના લોકોના અજ્ઞાન અને પ્રતિનિધિઓ મારફતે ચાલતા સરકારી વહીવટના મોટા લાભ સમજવાની બિનલાયકાત વિષે આ દેશમાં આપણે ઘણું સાંભળેલું છે. એ બધી વાતો ખરેખર ઘણી બેવકૂફીભરેલી છે કેમ કે પ્રતિનિધિઓ મારફતે ચાલતા રાજ્યવહીવટને ભણતરની સાથે કશી લેવાદેવા નથી. તેને ઘણી વધારે લેવાદેવા સામાન્ય સમજ