પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
ગાંધીજીનો અક્ષરદેહ


માનવજાતને ઊંચે ચડાવવામાં કે પછી નીચે પાડવામાં વાપરો છો તેનો આધાર માનવજાતના વર્ગ વર્ગ વચ્ચે જુદાઈને ઉત્તેજન આપો કે એકતાને માટે મથો તે વાત પર રહેશે. જાહેર કાર્યકર તરીકે પણ તમને એ જ વાત લાગુ પડે. તમે વકીલ અગર વેપારી હો તોપણ તમારે તમારા ઘરાકો અથવા અસીલો તરફની ફરજનો ખ્યાલ રાખવાનો રહે કેમ કે તેમની પાસેથી તમને સારો એવો આર્થિક લાભ થાય છે. સંસ્થાનમાં હિંદીઓને વિષે જે અજ્ઞાન પ્રવર્તે છે અને તેને પરિણામે તેમને જે ક્રૂર હાલાકી વેઠવી પડે છે તેમાં તમે તેમને કૂતરાં ગણીને હડહડ કરો અથવા તમારા જેવા જ તમારા માનવબંધુ ગણી તેમના તરફ સહાનુભૂતિ રાખો. તમારા વ્યવસાયને કારણે તમારે તેમની સાથે પ્રમાણમાં ઘાડા સંપર્કમાં આવવાનું થાય છે તેથી બેશક, તમને તેમને વિષે જાણવાની અને તેમનો અભ્યાસ કરવાની સંધિ તેમ જ પ્રેરણા મળે છે. સહાનુભૂતિની દૃષ્ટિથી તેમને જોશો તો તેમને સમજવાની જેમને સંધિ મળી છે અને જેમણે તેનો યોગ્ય ઉપયોગ કર્યો છે તેવા કોડીબંધ નહીં, સેંકડો યુરોપિયનોને તે જેવા દેખાય તેવા તમને પણ લાગે એવો સંભવ છે.

સંસ્થાનમાંના હિંદીઓ સાથે ચલાવવામાં આવતું વર્તન જેવું જોઈએ તેવું નથી એમ માની લઈ તેમના તરફ સક્રિય રીતે સહાનુભૂતિ અને લાગણી રાખવાવાળા ઝાઝા યુરોપિયનો છે કે નવી તેનો ચોક્કસ ખ્યાલ મળે તેટલા ખાતર તમારો અભિપ્રાય - મને મોકલવાની તમને આ વિનંતી મૈં કરી છે.

હું છું, સાહેબ,

 

તમારો વફાદાર સેવક

 

મો. ક. ગાંધી

 

[મૂળ અંગ્રેજી]

સાબરમતી સંગ્રહાલયમાંની નકલમાંથી.  



૪૪. ભૌતિકવાદનું અધૂરાપણું
મો. ક. ગાંધી
ડરબન,

ધિ એસોટેરિક ક્રિશ્વિયન યુનિયન અને

જાન્યુઆરી ૨૧, ૧૮૯૫

ધિ લંડન વેજિટૅરિયન સોસાયટીના એજન્ટ

શ્રી તંત્રી

धि नाताल एडवर्टाइझर

સાહેબ,

ધિ એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયને અને ધિ લંડન વેજિટૅરિયન સોસાયટી વિષે તમારી જાહેરખબરો માટેની જગ્યામાં જે સૂચના આપવામાં આવી છે તેના તરફ તમારા વાચકોનું ધ્યાન ખેંચવા દેશો તો હું તમારો આભારી થઈશ.

એ યુનિયન જે વિચારપદ્ધતિની હિમાયત કરે છે તેમાં દુનિયાના બધા મહાન ધર્મોની એકતા ને તેમના સમાન ઊગમનું પ્રતિપાદન છે અને જેમની જાહેરખબર આપવામાં આવેલી