પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
ગાંધીજીનો અક્ષરદેહ
પરિશિષ્ટ ૩
જોહાનિસબર્ગ,

 

૧૪મી માર્ચ, ૧૮૯૫

 

મારા ધંધાની રાહે હિંદીઓના સારા વર્ગ(મુંબઈથી આવેલા વેપારીઓ વગેરે)ના લોકોની મુલાકાતે જવાના પ્રસંગો મને વારંવાર આવતા હોવાથી હું મારો અભિપ્રાય આપું છું કે તેઓ તેમના રીતરિવાજોમાં અને ઘરની રહેણીકરણીમાં તેમના જેવા દરજજાના ગોરા લોકોના જેટલા જ સ્વચ્છ છે.

ડૉ. નાહમાચર,

 

એમ. ડી. વગેરે

 

પરિશિષ્ટ ૪

 


જોહાનિસબર્ગ,

 

૧૪મી માર્ચ, ૧૮૯૫

 

અમને નીચે સહી કરનારાઓને માહિતી આપવામાં આવી છે કે દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયમાંના હિંદી વેપારીઓને લગતા સવાલને અંગે લવાદ પંચે બ્લૂમફોન્ટીનમાં પોતાનું કામકાજ શરૂ કર્યું છે અને વળી, તે હિંદી વેપારીઓની સામેના એવી મતલબના આરોપની કે તેમની રહેણીકરણીની મેલીઘેલી આદતોને કારણે યુરોપિયન વસ્તીની વચમાં તેમનો વસવાટ જોખમરૂપ બન્યો છે તેની અમને જાણ કરવામાં આવી હોવાથી આથી અમે સ્પષ્ટપણે જાહેર કરીએ છીએ કે :

પહેલું જેમનામાંના મોટા ભાગના મુંબઈથી આવે છે તેવા ઉપર જણાવેલા હિંદી વેપારીઓ પોતાના વેપારનાં મથકો તેમ જ રહેવાનાં સ્થળો હકીકતમાં યુરોપિયનોના જેવી જ સ્વચ્છ અને સુખાકારીની સ્થિતિમાં રાખે છે.
બીજું એ કે તેમને “કુલી” અથવા બ્રિટિશ હિંદુસ્તાનના “નીચી” ન્યાતના રહેવાસીઓ કહીને ઓળખાવવામાં આવે છે તે ચોખ્ખી ભૂલ છે કેમ કે તેઓ ચોક્કસ હિંદુસ્તાનની સારી ઉપલી વર્ણના છે.
પી. બારનેટ એન્ડ કં.

હેમૅન ગોર્ડન એન્ડ કં.

ઈઝરાયલ બ્રધર્સ વતી

બ્રેન્ડ એન્ડ માયકર્સ

એચ. કલૅપહેમ

લિંડસે એન્ડ ઈન્સ

પેન બ્રધર્સ વતી

ગુસ્ટાવ શ્નાઈડર

એચ. એફ. બેયર્ટ

સી. લીબે

જૉસફ લૅઝૅરસ ઍન્ડ કં.

ક્રિસ્ટોફર પી. સ્પિક

જિયો. જાસ. કેટલ ઍન્ડ કં.

એ વેન્ટવર્થ બૉલ

બોરટન્સ બ્રધર્સ

જે. ગારિલિક વતી

જે.ડબલ્યુ. જૅગર એન્ડ કં. વતી

એચ. વુડક્રૉફટ

ટી. શાર્લૅ

ગૉરડન મિકેલ ઍન્ડ કં.

જોહાનિસબર્ગ, ઝેડ. એ. આર. વતી

આર. જી. ક્રમર અન્ડ ક.

આર. કોર્ટર