મારા ધંધાની રાહે હિંદીઓના સારા વર્ગ(મુંબઈથી આવેલા વેપારીઓ વગેરે)ના લોકોની મુલાકાતે જવાના પ્રસંગો મને વારંવાર આવતા હોવાથી હું મારો અભિપ્રાય આપું છું કે તેઓ તેમના રીતરિવાજોમાં અને ઘરની રહેણીકરણીમાં તેમના જેવા દરજજાના ગોરા લોકોના જેટલા જ સ્વચ્છ છે.
અમને નીચે સહી કરનારાઓને માહિતી આપવામાં આવી છે કે દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયમાંના હિંદી વેપારીઓને લગતા સવાલને અંગે લવાદ પંચે બ્લૂમફોન્ટીનમાં પોતાનું કામકાજ શરૂ કર્યું છે અને વળી, તે હિંદી વેપારીઓની સામેના એવી મતલબના આરોપની કે તેમની રહેણીકરણીની મેલીઘેલી આદતોને કારણે યુરોપિયન વસ્તીની વચમાં તેમનો વસવાટ જોખમરૂપ બન્યો છે તેની અમને જાણ કરવામાં આવી હોવાથી આથી અમે સ્પષ્ટપણે જાહેર કરીએ છીએ કે :
- પહેલું જેમનામાંના મોટા ભાગના મુંબઈથી આવે છે તેવા ઉપર જણાવેલા હિંદી વેપારીઓ પોતાના વેપારનાં મથકો તેમ જ રહેવાનાં સ્થળો હકીકતમાં યુરોપિયનોના જેવી જ સ્વચ્છ અને સુખાકારીની સ્થિતિમાં રાખે છે.
- બીજું એ કે તેમને “કુલી” અથવા બ્રિટિશ હિંદુસ્તાનના “નીચી” ન્યાતના રહેવાસીઓ કહીને ઓળખાવવામાં આવે છે તે ચોખ્ખી ભૂલ છે કેમ કે તેઓ ચોક્કસ હિંદુસ્તાનની સારી ઉપલી વર્ણના છે.
હેમૅન ગોર્ડન એન્ડ કં.
બ્રેન્ડ એન્ડ માયકર્સ
લિંડસે એન્ડ ઈન્સ
ગુસ્ટાવ શ્નાઈડર
સી. લીબે
ક્રિસ્ટોફર પી. સ્પિક
એ વેન્ટવર્થ બૉલ
જે. ગારિલિક વતી
એચ. વુડક્રૉફટ
ગૉરડન મિકેલ ઍન્ડ કં.
જોહાનિસબર્ગ, ઝેડ. એ. આર. વતી
આર. કોર્ટર