પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
ગાંધીજીનો અક્ષરદેહ

ચોક્કસ માહિતી આવી જાય ત્યારે આ આખો પ્રશ્ન તેમની સામે વિચારણા માટે મૂકવામાં આવે.” (૨૮–૩–૧૮૯૬).

લંડનના टाइम्स પત્રના શબ્દોમાં હિંદી કોમની લાગણી બહુ સારી રીતે વ્યક્ત કરી શકાય.टाइम्स (૨૦ માર્ચ, ૧૮૯૬ની અઠવાડિક આવૃત્તિ) કહે છે:

હિંદીઓ જયારે પરદેશોમાં કે બ્રિટિશ સંસ્થાનોમાં કામધંધો શોધવા માટે જાય છે ત્યારે તેમને જો બ્રિટિશ પ્રજાજન તરીકેનો दरज्जो સાથે લઈને જવા દેવામાં આવે તો આફ્રિકાની ખિલવણીના કાર્યમાં હિંદી મજૂરો માટે નવી જ શકયતાઓ રહેલી છે. હિંદી સરકાર અને ખુદ હિંદીઓ પોતે એવું માને છે કે ખુદ દક્ષિણ આફ્રિકામાં જ તેમના दरज्जाના આ પ્રશ્નને નિશ્વિત સ્વરૂપ અપાવું જોઈએ. જો તેઓ દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ પ્રજાજનનો દરજજો હાંસલ કરી શકે તો બીજી જગ્યાએ તેમને એની ના પાડવાનું લગભગ અશકય બનશે. જો તેઓ દક્ષિણ આફ્રિકામાં આ દરજજો હાંસલ નહીં કરી શકે તો બીજી જગ્યાએ તેમને માટે તે હાંસલ કરવાનું અતિશય મુશ્કેલ થશે. તેઓ એ વાતનો ઝટ સ્વીકાર કરે છે કે જે હિંદી મજૂરો વસાહત અંગે મળેલી મદદના બદલામાં અમુક ચોક્કસ વર્ષોની મુદત માટે નોકરી કરવાનો જે કરાર કરે છે એની શરતોનું એણે પાલન કરવું જ જોઈએ, પછી ભલે એમ કરતાં એના હકો ઉપર ગમે એટલો કાપ પડતો હોય. પરંતુ તેઓનું માનવું એવું છે કે મજૂરીના કરારની મુદત પૂરી થતાં તેમણે જે કોઈ દેશ અથવા સંસ્થાનમાં વસવાટ કર્યો હોય, તેમાં તેઓ બ્રિટિશ પ્રજાના दरज्जाના હકદાર છે.. . . હિંદી સરકાર માટે એવી માગણી કરવાનું ઉચિત જ છે કે હિંદી મજૂરોએ પોતાના જીવનનાં ઉત્તમ વર્ષો દક્ષિણ આફ્રિકાની સેવામાં આપ્યા બાદ આ તેમના પોતાના તરીકે સ્વીકારેલા દેશમાં બ્રિટિશ પ્રજાનો દરજજો આપવાની ના પાડીને તેમને બળજબરીથી હિંદને માથે નહીં લાદવા જોઈએ. નિર્ણય ગમે તે લેવામાં આવે તોપણ એની હિંદના મજૂરોના પરદેશગમનના વિકાસ ઉપર ગંભીર અસર પડશે.

મતાધિકારના આ પ્રશ્નની તથા नाताल गवर्नमेन्ट गेझेटમાંથી એકઠા કરેલા અને હવે સાચા તરીકે સ્વીકારાયેલા આંકડાઓની ખાસ ચર્ચા કરતાં એ જ અખબાર ૩૧મી જાન્યુઆરી ૧૮૯૬ના અંકમાં (અઠવાડિક આવૃત્તિ) કહે છે:

આ આંકડાઓ મુજબ સંસ્થાનમાં ૨૫૧ નોંધાયેલા બ્રિટિશ હિંદી મતદારો સામે ૯,૩૦૯ નેાંધાયેલા યુરોપિયન મતદારો છે. . . . જો શ્રી ગાંધીનાં નિવેદનો સાચાં હોય તો વ્યવહારુ રાજકારણની સીમામાં કોઈ પણ વખતે એવી શકયતા નથી દેખાતી કે હિંદી મત યુરોપિયન મતને ગૂંગળાવી દેશે. બધા ગિરમીટ નીચેના હિંદીઓ જ માત્ર મતાધિકારથી વંચિત નથી રખાયા પણ એક બાજુથી બધા જ બ્રિટિશ હિંદીઓ પણ વંચિત રાખવામાં આવ્યા છે અપવાદરૂપે મતદાર તરીકે એક ઘણો જ નાનો વર્ગ રહ્યો છે જેમણે બુદ્ધિશક્તિ અને ઉદ્યમ વડે પોતાની જાતને ધનિક શહેરીઓના દરજજે ચડાવી છે. . . .
આ આંકડાઓ બતાવે છે કે હાલના ચાલુ કાનૂન નીચે પણ એક બ્રિટિશ હિંદી માટે નાતાલમાં મતાધિકાર મેળવવામાં લાંબો સમય જાય છે, કુલ ૨૫૧ બ્રિટિશ હિંદી મતદારોમાંથી માત્ર ૬૩ સંસ્થાનમાં દસ વર્ષથી ઓછી મુદત માટે રહ્યા છે અને એમાંના ઘણાએ પોતાની મૂડીથી શરૂઆત કરી છે. બાકીના મતદારો ૧૦ કરતાં વધારે વર્ષથી અને