૧૮૯૬ | નાતાલમાં ૧૮૯૬નો મતાધિકારરહિત કરવાનો ૮મો કાનૂન દાખલ કરવામાં આવ્યો.
કેપ સંસ્થાનમાં રોડ્સ મુખ્યમંત્રીપદનું રાજીનામું આપે છે. |
૧૮૯૭ | ટ્રાન્સવાલમાં ૧૮૮૫ના ત્રીજા કાનૂન વિષેના કમિશનનો હેવાલ લોકસભાએ સ્વીકાર્યો. કાનૂન ત્રીજાથી ગોરા અને બિનગોરા લોકો વચ્ચેના લગ્ન પર પ્રતિબંધ મુકાયો. |
૧૮૯૮ | બ્લૂમફોન્ટીનમાં ટ્રાન્સવાલ અને બ્રિટનના પ્રતિનિધિઓની પરિષદ મળી. નાતાલ કસ્ટમ્સ યુનિયનમાં જોડાયું. |
૧૮૯૯ | બોઅર યુદ્ધ ફાટી નીકળ્યું. બ્રિટિશ આગેવાનોએ હિંદીઓ પ્રત્યેના ગેરવર્તાવને યુદ્ધના
એક કારણ તરીકે ગણાવ્યું. |
૧૯૦૦ | ઑરેન્જ ફ્રી સ્ટેટનો બ્રિટિશ મુલક ઑરેન્જ રીવર સંસ્થાન તરીકે જાહેર થયો. ટ્રાન્સવાલને બ્રિટિશ રાજમાં ભેળવી દેવામાં આવ્યું. ૨૦,૦૦૦ બોઅર નિરાશ્રિત સ્ત્રી-બાળકો-બ્રિટિશ કેદી છાવણીઓમાં મૃત્યુ પામ્યાં, જમીન અંગેનો લૅન્ડ સેટલમેન્ટ કમિશનનો હેવાલ બહાર પડયો. |
૧૯૦૧ | જોહાનિસબર્ગમાં મ્યુનિસિપલ રાજતંત્ર ચાલુ થયું. |
૧૯૦૨ | વીરીનીઝીંગની સંધિથી બોઅરયુદ્ધનો અંત આવ્યો. રોડ્સનું અવસાન થયું. |
૧૯૦૩ | શાંતિરક્ષા વટહુકમ વડે હિંદીઓના ટ્રાન્સવાલ પ્રવેશ ઉપર નિયમન મુકાયું.
ટ્રાન્સવાલ બ્રિટિશ હિંદી સંધ સ્થપાયો અને તેણે એશિયાઈ ઓફિસના કામકાજ વિરુદ્ધ અરજી ) કરી. |
પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૨૯
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૮