પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૬
ગાંધીજીનો અક્ષરદેહ
કલમ ૬ નીચે મુજબ છે:
અા કાનૂનની કલમ ૨માં દર્શાવેલી પ્રતિજ્ઞા કરનાર દરેક ગિરમીટ નીચેનો હિંદી, જે હિંદુસ્તાન પાછો ફરવામાં અથવા નાતાલમાં ફરીથી મજૂરીનો કરાર કરવામાં નિષ્ફળ જશે, બેદરકારી બતાવશે અથવા ના પાડશે તેણે પોતાના જિલ્લાના મેજિસ્ટ્રેટે કાઢી આપેલો સંસ્થાનમાં રહેવા માટેનો પાસ અથવા પરવાનો કઢાવવો પડશે. અને એ પાસ અથવા પરવાના માટે ૩ પાઉન્ડની વાર્ષિક રકમ ભરવી પડશે. જે કોઈ પણ “કલાર્ક ઑફ પીસ ' મારફતે અથવા એવી લાઈસન્સ ફી લેવા માટે નિમાયેલા બીજા અધિકારી મારફતે તાકીદની સરકારી કાર્યવાહીથી વસૂલ કરી શકાશે.

ઉપર આપેલી કલમ ૨માં જણાવ્યા મુજબનું પરિશિષ્ટ ख, નોકરીની મુદતને એને સંબંધ છે તેટલા પૂરતું નીચે મુજબ છે:

અમે . . . થી નાતાલ આવેલા નીચે સહી કરનારા વસાહતીઓ નાતાલ માટેના હિંદી વસાહતીઓના સંરક્ષકે જે કોઈ માલિકને ત્યાં નોકરી કરવા અમને અનુક્રમે નોંધ્યા હોય તેને ત્યાં કામ કરવા આથી બંધાઈએ છીએ; તે એવી શરતે કે અહીં નીચે અમારાં નામો સામે દર્શાવેલી રોજી તથા બીજી ખર્ચની રકમ દર મહિને અમને રોકડ નાણાંમાં આપવામાં આવશે.

૪. ઉપર દર્શાવેલી વાત પરથી જણાશે કે ચર્ચા નીચેનું બિલ કાનૂન બને તો એક ગિરમીટ નીચેના હિંદીએ જે તે પોતાની પાંચ વર્ષની ગિરમીટની નોકરી બાદ સંસ્થાનમાં સ્થિર થઈને રહેવા ઇચ્છતો હોય તો કાં તો કાયમી ગિરમીટ નીચે રહેવું જોઈએ અથવા ૩ પાઉન્ડનો વાર્ષિક કર ભરવો જોઈએ. તમારા અરજદારોએ कर શબ્દ જાણીજોઈને વાપર્યો છે કારણ કે મૂળ બિલ કમિટીની કક્ષાએથી પસાર થયું તે પહેલાં તેમાં એ જ શબ્દ વપરાયો હતો, તમારા અરજદારોનું કહેવું એવું છે કે કરને બદલે પરવાનો એવો માત્ર નામનો ફેરફાર કરવાથી એ બિલ ઓછું અળખામણું નથી બનતું, પણ કાનૂનના ઘડવૈયાઓને પક્ષે એ માહિતી હોવાનું ખાસ દેખાઈ આવે છે કે સંસ્થાનમાં એક ખાસ વર્ગના લોકો ઉપર એક ખાસ માથાવેરો હોય એ ન્યાય વિષેની બ્રિટિશોની વિચારસરણીનું પૂરેપૂરું વિરોધી છે.

૫. હવે, તમારા અરજદારો નમ્રપણે પણ ભારપૂર્વક જણાવે છે કે ગિરમીટની મુદત પાંચ વર્ષ ઉપરથી લગભગ અચોક્કસ મુદત પર વધારી જવાની વાત અતિશય અન્યાયભરી છે, ખાસ કરીને એ કારણે કે ગિરમીટિયા હિંદીઓ મારફતે રક્ષાયેલા કે અસર પામતા ઉદ્યોગોને સંબંધ છે ત્યાં સુધી આવું પગલું તદ્દન બિનજરૂરી છે.

૬. આ કલમો ઉપસ્થિત થવાનું, નાતાલ સરકારે ૧૮૯૪ની સાલમાં હિંદ મોકલેલા કમિશનને અને એના સભ્યો મેસર્સ બિન્સ અને મેસને તૈયાર કરેલા હેવાલને આભારી છે. કમિશન આ બે સભ્યોનું જ બનેલું હતું.”આવો કાયદો ઘડવાના એ હેવાલમાં દર્શાવેલાં કારણો વસાહતીઓના સંરક્ષકના ૧૮૯૪ની સાલ માટેના વાર્ષિક હેવાલના પા. ૨૦ અને ૨૧ ઉપર આપેલાં છે. તમારા અરજદારો કમિશનના સભ્યોના હેવાલમાંથી નીચેનો ઉતારો આપવાની ધૃષ્ટતા કરે છે:

જે દેશમાં દેશી લોકોની વસ્તી યુરોપિયનોની વસ્તી કરતાં સંખ્યામાં ઘણી વધારે છે ત્યાં હિંદીઓનો અમર્યાદ વસવાટ ઇચ્છવાજોગ નથી ગણાતો, એટલે એકંદરે વલણ