પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭
હિંદી મતાધિકાર

નથી કે પ્રતિનિધિત્વ ઉપર રચાયેલી સરકારને સમજવાની હિંદીઓની યોગ્યતાને માન્ય કરવામાં આવી છે. મિ. ફ્રાંસિસનું જે કહેવું છે કે હિંદમાં તેમ જ નાતાલમાં મતાધિકાર માટેની લાયકાતો એકસરખી નથી તેની કદી કોઈએ ના પાડી નથી. આ રીતની કસોટી નીચે તો યુરોપથી સુધ્ધાં આવનારો કોઈ પણ માણસ મતાધિકારનો અધિકારી બની શકશે નહીં, કારણ કે જુદાં જદાં યુરોપનાં રાજ્યોમાંની લાયકાતો ખરેખર અહીંના જેવી જ નથી.

આ અઠવાડિયાની ટપાલ મારફતે છેલ્લામાં છેલ્લી એવી સાબિતી મળી છે કે હિંદીઓ પ્રતિનિધિત્વનો સિદ્ધાંત સમજે છે કે નહીં એ વિષેની સાચી અને એકમાત્ર કસોટીમાં તેઓ નિષ્ફળ ગયા નથી. धि टाइम्सમાંના “હિન્દુસ્તાનના મામલા” વિષેના લેખમાંથી એક ઉતારો હું નીચે આપું છું :

પણ જેમને બહુમાન મળ્યું છે એવા દેશી સિપાઈઓની બહાદુરી, જો આપણામાં એક જાતનું એવું ગૌરવ જાગ્રત કરે કે આપણે આવા સાથીપ્રજાજનો મેળવી શકયા . . . તો ખરેખર, જો આપણામાં એક જાતનું એવું ગૌરવ જાગ્રત કરે છે કે....ખરેખર, પેલી ભયાનક ઘાટીમાં તેમના સાથીઓ પ્રત્યેની તેમના ભવ્ય આત્મ-બલિદાનને ટપી જાય એવું બીજ કશું નથી . . . સાચી વાત તો એ છે કે હિંદીઓ અનેક રસ્તે લાયક સાથીપ્રજાજન તરીકે ગણાવાનો પોતાનો હક કમાઈ રહ્યા છે. લડાઈનું મેદાન હમેશાં પ્રજા પ્રજાઓ વચ્ચે ગૌરવભરી સમાનતા લાવવાના ઝડપી ઇલાજરૂપ બન્યું છે પણ હિંદીઓ તો નાગરિક જીવનની વધારે ધીમી અને વધારે મુસીબતભરી કાર્યપદ્ધતિઓ વડે પણ અમારું સન્માન મેળવવાનો તેમનો હક પુરવાર કરી રહ્યા છે. ત્રણ વર્ષ પહેલાં હિંદી વિધાનપરિષદને થોડે અંશે ચૂંટણીના ધોરણે વિસ્તૃત કરવાનો પ્રયોગ થયો હતો એનાથી મોટો પ્રયોગ આધીન રાજ્યોના બંધારણીય શાસનમાં કદી થયો નહોતો. જે અનેક ચર્ચાઓ થઈ તે ઘણી મદદરૂપ થઈ છે અને બંગાળ પ્રાંતમાં કે જ્યાં ચૂંટણી પદ્ધતિ સૌથી ભારે મુસીબતોથી ભરેલી લાગતી હતી ત્યાં આ પ્રયોગ ઘણી કડક કસોટી બાદ સફળ પુરવાર થયો છે.

એ વાત સુવિદિત છે કે આ લખાણ એક ઇતિહાસકાર[૧] અને હિંદી અમલદારની કલમે લખાયું છે કે જેમણે ૩૦ વર્ષ હિંદમાં સેવા આપી છે. કેટલાક લોકોને ખુદ મતાધિકાર લઈ લેવાનું પગલું ઘણું નજીવું લાગતું હોય, પણ હિંદી કોમ ઉપર એનાં જે પરિણામો આવશે તે કલ્પના પણ ન થઈ શકે એટલાં ભયંકર હશે. યુરોપિયન સાંસ્થાનિકોને એની સરખામણીમાં જે ફાયદા થશે તે મને ખાતરી છે કે નહીંવત છે, સિવાય કે એક જાતિને અથવા રાષ્ટ્રને અપમાનિત કરવામાં કે તેને અપમાનિત દશામાં રાખવામાં તેમને કોઈક જાતનું સમાધાન કે સંતોષ થતો હોય તો વાત જુદી છે. “ગોરા લોકો રાજ કરે અથવા પીળા લોકો રાજ કરે” એવો કોઈ પ્રશ્ન જ નથી, અને ભવિષ્યના કોઈ પ્રસંગે હું એ વાત બતાવી આપી શકવાની આશા રાખું છું કે એ બાબતમાં જે ભય સેવવામાં આવ્યો છે તે તદ્દન પાયા વિનાનો છે.

મિ. ફ્રાંસિસના પત્રમાં એવા ફકરા છે કે જેનાથી કદાચ એવું માલૂમ પડે છે કે તેમણે ઘણો લાંબો સમય પહેલાં હિંદુસ્તાન છોડયું હોવું જોઈએ. એક રેવન્યુ કમિશનરની જગ્યા કરતાં વધારે મહત્ત્વની જગ્યાઓ ત્યાં બહુ ઓછી છે. છતાં ભારત-મંત્રીએ એ જગ્યા ઉપર માત્ર તાજેતરમાં જ એક હિંદીને નીમવાનું ડહાપણભર્યું માન્યું છે. મિ. ફ્રાંસિસ જાણે છે કે હિંદમાં એક


  1. સર ડબલ્યુ ડબલ્યુ. હંટ૨; જુએા પૃ. ૨૦૦.