પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩
નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ


તો પછી મારી સમજ પ્રમાણે કોઈ પણ સંસ્થા સામે લગભગ કોઈ પણ આરોપ પુરવાર કરી શકાય.

હિંદીઓનો દાવો "એક હિંદીને એક મત" મેળવવાનો નથી તેમ જ તેમણે જેઓ શુદ્ધ 'કુલી' મજૂરો છે તેમને માટે પણ મતનો દાવો કર્યો નથી. પણ અહીં તો શુદ્ધ કુલીને તે જ્યાં સુધી કુલી રહે છે ત્યાં સુધી હાલના કાનૂનો હેઠળ પણ તે અધિકાર મળી શકે એમ નથી. વિરોધ છે માત્ર રંગ કે જાતિ બાબતના ભેદભાવ સામે. જો આખા પ્રશ્નનો શાંતિથી અભ્યાસ કરવામાં આવે તો કોઈના તરફથી પણ બૂરી ભાવના અથવા ગરમાગરમીના કોઈ પણ દેખાવને સ્થાન રહેશે નહીં.

હિંદીઓએ દુનિયાના કોઈ પણ ભાગમાં રાજદ્રારી સત્તા હાથ કરવાનો પ્રયાસ કર્યો નથી. એવું કહેવાય છે કે મોરિશિયસમાં કે જ્યાં એઓ ઘણી મોટી સંખ્યામાં છે ત્યાં તેમણે રાજદ્રારી બાબતમાં કશી પણ ઉમેદ બતાવી નથી. અને નાતાલમાં એમની સંખ્યા જે ૪૦,૦૦૦ છે તે ૪,૦૦,૦૦૦ સુધી ધારો કે પહોંચી જાય તોપણ તેઓ એવું કરે એવો સંભવ નથી.

હું છું, વગેરે


મેા. ક. ગાંધી


[ મૂળ અંગ્રેજી] धि नाताल एड्वर्टाइझर, ૧૦-૧૦-૧૮૯૫


૬૫. નાતાલ ઈન્ડિયન કૅાંગ્રેસ

ડરબન, ઓક્ટોબર ૨૧, ૧૮૯૫

માનનીય સંસ્થાન મંત્રીની સેવામાં, પિટરમૅરિત્સબર્ગ

સાહેબ,

છાપાંઓમાં આવેલી કેટલીક ટીકાઓ અને ડરબનના રેસિડંટ મૅજિસ્ટ્રેટ સામે તાજેતરમાં ચાલેલા રેજીના વિ. રંગાસામી પાદાયાચી કેસનો ચુકાદો, મને કૉંગ્રેસના માનદ મંત્રી તરીકે આ ટીકા અને ઉપર દર્શાવેલા ચુકાદા બાબતમાં આપને લખવાની ફરજ પાડે છે.

ચુકાદામાં એવું કહેવામાં આવ્યું છે કે કૉંગ્રેસે ઑગસ્ટ માસની અમુક તારીખે અસગારા નામના એક હિંદીને પોતાની સમક્ષ બોલાવીને એક કેસમાં સાક્ષી આપતાં રોકવાનો પ્રયાસ કર્યો, અને એવું પણ કહેવામાં આવ્યું છે કે એ સંસ્થા કાવતરાખોરોની છે વગેરે.

મારે જણાવવાનું એ છે કે કૉંગ્રેસે ઉપર દર્શાવેલ નામવાળી વ્યક્તિને કે બીજી કોઈ પણ વ્યક્તિને સાક્ષી આપતાં રોકવાને પોતાની સામે કદી બોલાવી નથી એટલું જ નહીં પણ ન્યાયાસને બેઠેલા મૅજિસ્ટ્રેટ પાસે આવી ટીકા કરવાને બિલકુલ કારણો નહોતાં.

જે ચુકાદામાં આ ટીકા કરવામાં આવી છે તેના ઉપર અપીલ થયેલી છે. એને લઈને એ બાબતની છાપાંમાં લંબાણથી ચર્ચા કરતાં મારે રોકાઈ જવું પડયું છે. કમનસીબે આ ટીકા માત્ર મૅજિસ્ટ્રેટના અંગત અભિપ્રાયરૂપે હોઈને એવું બને કે ન્યાયાધીશો એના ઉપર પૂરું ધ્યાન