પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૯
મિ. ચેમ્બરલેનને અરજી
એનાથી વિરુદ્ધ કરવું એ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ ભૂંસી નાખવા બરાબર અને કાનૂન અને ઔચિત્યના અસ્તિત્વનો હેતુપૂર્વકનો ઈન્કાર કરવા બરાબર થશે. આમાં કોઈ જાતની સખતાઈ નથી, કે સખતાઈની ઇચ્છા પણ નથી તેમ જ એમાં એવું કાંઈ પણ નથી જેનો નિષ્પક્ષ મંતવ્ય ધરાવનાર વિરોધ કરી શકે.

૧૫. તમારા અરજદારોએ ઉપરના ઉતારા એટલું બતાવવાને આપ્યા છે કે હિંદીઓ સામે જવાબદાર લોકોમાં પણ કેવી લાગણી રહેલી છે. અને તે લાગણી માત્ર એટલા ખાતર કે केटलाक बहू ज थोडा માણસો તેમની ગિરમીટ નીચે અને તેની મુદત દરમિયાન જ નહીં પરંતુ એ મુદત પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી મજૂરો તરીકે કામ કર્યા પછી સંસ્થાનમાં વેપાર કરવાની હિંમત કરે છે.

૧૬. જેઓ સંસ્થાનના હિત માટે અનિવાર્ય હોવાનું સ્વીકારાયું છે તેમણે કાયમના બંધન નીચે રહેવું અથવા તા. ૯–૫–'૯૫ના धि नाताल एडवर्टाइझरे મૂકયું છે તેમ ૩ પાઉન્ડનો વાર્ષિક કર ભરીને “સ્વતંત્રતા ખરીદવી,” જે “નથી સખતાઈભર્યું કે નથી અયોગ્ય”, આ કથન તમારા અરજદારોને ખાતરીપૂર્વક લાગે છે કે સમ્રાજ્ઞીની સરકારને સ્વીકાર્ય થશે નહીં.

૧૭. કલમોમાં રહેલો અન્યાય એટલો બધો સ્પષ્ટ અને ભારે દેખાય છે કે જે છાપું હિંદીઓની બિલકુલ તરફદારી કરનારું નથી એવા धि नाताल एडावर्टाइझर ને પણ એનો ખ્યાલ આવ્યો છે અને તે તેણે ૧૮૯૫ના મેની ૧૬મી તારીખે નીચેના શબ્દોમાં વ્યક્ત કર્યો છે :

મૂળમાં બિલની દંડાત્મક કલમ એવા ઉદ્દેશવાળી હતી કે જે હિંદી, હિંદુસ્તાન પાછો નહીં ફરે તેણે સરકારને એક વાર્ષિક કર ભરવો, મંગળવારે એટર્ની જનરલે એવો ઠરાવ મૂકયો કે આને આ પ્રમાણે બદલવામાં આવે : 'સંસ્થાનમાં રહી જવા માટે એક પાસ કે પરવાનો કઢાવવો જોઈએ જેને માટે ૩ પાઉન્ડ ભરવાના રહેશે. નિશ્ચિતપણે આ એક વધારે સારો ફેરફાર છે, અને ઓછો અણગમો થાય એવા શબ્દોમાં એનાથી એનો એ હેતુ સરે છે. પરંતુ આ કુલી રહેવાસીઓ ઉપર એક ખાસ કર નાખવાની દરખાસ્તથી એક વ્યાપક પ્રશ્ન ખડો થાય છે, જો સામ્રાજયના બીજા ભાગોમાંથી આવનારા કુલીઓ ઉપર આ જાતની ગેરલાયકાત મુકાવાની હોય તો પછી એનો અમલ, જેમનો બ્રિટિશ સામ્રાજ્ય સાથે સંબંધ નથી એવા ચીનાઓ, આરબો, બહારનાં રાજયોમાંના કાફરો, અને એવા બીજા વસાહતીઓનો પણ સમાવેશ થાય એ રીતે વિસ્તૃત કરવો જોઈએ. આ રીતે કુલીઓને ખાસ પસંદ કરીને તેમને લક્ષ્યબિંદુ બનાવવા અને બીજા બધા પરદેશીઓને કોઈ પણ ગેરલાયકાત વિના છૂટથી વસવાટ કરવા દેવો એ ન્યાયસંગત વ્યવસ્થા નથી. જો પરદેશીઓ ઉપર કર નાખવાનો રિવાજ શરૂ કરવો જ હોય તો ખરેખર તે એવી જાતિઓથી કરવો જોઈએ કે જે પોતાની જન્મભૂમિમાં બ્રિટિશ ધ્વજ નીચે નથી, અને નહીં કે એવી જાતિઓથી જે, આપણે પસંદ કરીએ કે નહીં કરીએ, આપણી માફક એક જ સામ્રાજ્યની પ્રજા છે. આપણે જો તેમના ઉપર અસાધારણ ગેરલાયકાતો નાખવા માગતા હોઈએ તો એને માટે તેઓ પહેલા નહીં પરંતુ છેલ્લા રહેવા જોઈએ.

૧૮. તમારા અરજદારો જણાવે છે કે આ વ્યવસ્થા કોઈ પણ ન્યાયપ્રિય માણસોને ગમી નથી. નાતાલ કમિશનના સભ્યોએ હિંદી સરકારને, ગમે એટલી આનાકાનીથી હોય તો પણ ગિરમીટની મુદત અચોક્કસ રીતે વધારવાની અથવા ફરજિયાત પાછા ફરવાની વાતને સંમતિ આપવાનું