પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬
ગાંધીજીનો અક્ષરદેહ

લૉર્ડ ક્રૉસના ૧૮૯૨ના કાનૂન પ્રમાણે, હાલમાં વિધાનપરિષદોના ચૂંટણી તત્ત્વનો વિસ્તાર સાવચેતીપૂર્વક કરાઈ રહ્યો છે. એ વિસ્તાર કેન્દ્રીય તેમ જ પ્રાંતીય બંને સરકારોની કાઉન્સિલોમાં થઈ રહ્યો છે.

નાતાલમાં હિંદી મતાધિકાર એ વિષયની ચર્ચા કરતાં धि टाइम्स કહે છે :

નાતાલમાંના હિંદીઓ તેઓ હિંદમાં જે ખાસ હકો ધરાવતા હોય તેના કરતાં વધારે ઊંચા હકોની માગણી નહીં કરી શકે, અને તેમને હિંદમાં કોઈ પણ જાતનો મતાધિકાર મળેલો નથી, એ દલીલનો સાચી હકીકતો સાથે મેળ ખાતો નથી. આજે અંગ્રેજો જે મતાધિકાર ભોગવે છે બરાબર તે જ મતાધિકાર હિંદીઓ હિંદમાં ધરાવે છે.

મ્યુનિસિપલ મતાધિકારની ચર્ચા કર્યા - બાદ લેખમાં આગળ કહેવામાં આવ્યું છે:

જેને ઉચ્ચ મતદારમંડળ કહી શકાય તેને પણ હિંદમાંની શાસન પદ્ધતિને અનુરૂપ ફેરફાર સાથે આવી જ જાતનો સિદ્ધાંત લાગુ પડે છે. સર્વોચ્ચ અને પ્રાંતીય વિધાનપરિષદોના ચૂંટાયેલા સભ્યોની ચૂંટણી મુખ્યત્વે હિંદીઓની સંસ્થાઓ જ કરે છે. આ વિધાનપરિષદો ૨૨ કરોડ ૧૦ લાખ બ્રિટિશ પ્રજાનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અને પ્રાંતીય વિધાનસભાઓમાં સરકારી પ્રતિનિધિઓ ઉપરાંત લગભગ અડધા સભ્યો હિંદીઓ છે. આ સરખામણીને બહુ આગળ લંબાવવાનું ભૂલભરેલું થશે. પણ બ્રિટિશ હિંદી પ્રજાને, તેમની પાસે હિંદમાં મતનો હક નથી એ કારણે બ્રિટિશ સંસ્થાનોમાં મત આપવા વિરુદ્ધની દલીલનો એ જવાબ આપે છે. જેટલે અંશે હિંદમાં મતદાન મારફતે રાજ્યતંત્ર ચલાવાય છે, તેટલે અંશે અંગ્રેજ અને હિંદી સમાન દરજજે ઊભેલા છે, અને મ્યુનિસિપાલિટીમાં, પ્રાંતીય અને સર્વોચ્ચ કાઉન્સિલોમાં ત્રણેમાં હિંદી હિતોનું પ્રતિનિધિત્વ એકસરખું બળવાન છે.

હિંદમાં મ્યુનિસિપાલિટીનો મતાધિકાર ઘણો વ્યાપક છે અને લગભગ આખું બ્રિટિશ હિંદ મ્યુનિસિપલ કૉર્પોરેશનો અને લોકલ બોર્ડોથી પથરાયેલું છે.

નાતાલમાં જે હિંદીઓનો વર્ગ મતદારોની યાદી ઉપર પહેલેથી ચડી ગયો છે તેને વિષે ઉપર ઉલ્લેખેલા धि टाइम्स ના લેખમાં કહ્યું છે :

બરાબર આ જ વર્ગના લોકો હિંદમાં મ્યુનિસિપાલિટીનાં અને બીજાં મતદારમંડળોમાં ખૂબ જ મહત્ત્વભર્યો ભાગ ભજવે છે. હિંદમાંની ૭૫૦ મ્યુનિસિપાલિટીઓમાં એકેએક જગ્યાએ અંગ્રેજ અને હિંદી મતદારોને એકસરખા અધિકાર છે. ૧૮૯૧માં ૯૭૯૦ મ્યુનિસિપલ સભ્યો હિંદીઓ હતા જ્યારે ૮૩૯ માત્ર યુરોપિયનો હતા. હિંદી મ્યુનિસિપલ બોર્ડો ઉપર ૮ હિંદી મતો સામે માત્ર એક યુરોપિયન મત હતો, જયારે નાતાલ મતદારમંડળમાં એક બ્રિટિશ હિંદી મત સામે ૩૭ યુરોપિયન મતો હતા. એ વાતનું સ્મરણ રહેવું જોઈએ કે હિંદની મ્યુનિસિપાલિટીઓ દોઢ કરોડની વસ્તીનો અને ૫ કરોડ રૂપિયાનો વહીવટ કરે છે.

પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓનું સ્વરૂપ અને તેની જવાબદારીઓથી હિંદીઓ કેટલા પરિચિત છે એ બાબતમાં એ જ લેખમાં કહ્યું છે:

ઘણુંખરું દુનિયામાં એવો એકે દેશ નથી જ્યાં પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓનાં મૂળ લોકોના જીવનમાં આટલાં ઊંડાં ગયાં હોય. હિંદમાંની દરેક જાતિ, દરેક ધંધો અને દરેક ગામને જમાનાઓથી એની પાંચ જણની પંચાયત મળેલી હતી જે પોતાના નાના

I