પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મોટો સમૂહ, સંસ્થાનમાં નોકરીઓ કરે છે. ખાસ કરીને તે ગામડાંઓમાં અને શહેરોમાં ઘરોના નોકરો તરીકે રોકાયેલો છે. સ્વતંત્ર હિંદીઓની વસ્તી હસ્તીમાં આવી તે પહેલાં પિટર મૅરિત્સબર્ગ અને ડરબન શહેરોમાં ફળ, શાકભાજી અને મચ્છી બજારમાં આવતી નહોતી. હાલમાં આ બધી ચીજો જોઈએ એટલી મળે છે. યુરોપથી આવનારા વસાહતીઓમાં જેમણે શાકભાજી ઉગાડનારા કે મચ્છીમારો બનવાની થોડી પણ વૃત્તિ બતાવી હોય એવા કોઈ માણસો આપણેને કદી મળ્યા નથી. અને મારો એવો અભિપ્રાય છે કે સ્વતંત્ર હિંદી વસ્તીની હસ્તિ જ નહીં હોત તો પિટરમૅરિત્સબર્ગ અને ડરબનના બજારો દસ વર્ષ પહેલાં હતાં તેવાં જ આજે પણ પુરવાની તંગી વાળાં જ રહ્યાં હોત. ( પા. ૧૪૪-૧૫૬)

૨૬. હાલના વડા ન્યાયાધીશ અને ભૂતપૂર્વ ઍટર્ની જનરલે નીચેનો અભિપ્રાય દર્શાવ્યો:

હિંદીઓને જે કાનૂનો નીચે સંસ્થાનમાં દાખલ કરવામાં આવે છે તેની શરતોના કોઈ પણ ફેરફારો સામે હું વાંધો લઉં છું. મારા અભિપ્રાય મુજબ, જેમને દાખલ કરવામાં આવ્યા છે એવા સંખ્યાબંધ હિંદીઓએ સમુદ્ર કિનારાના પ્રદેશોમાં મોટે અંશે ગોરા વસાહતીઓની નિષ્ફળતાની ખોટ પૂરી કાઢી છે. તેમણે બીજી રીતેવણખેડાયેલી રહે એવી જમીનને ખેતીના ઉપયોગમાં આણી છે. અને તેમાં સંસ્થાનવાસીઓને ખરેખરો ફાયદો થાય એવા પાકો પકવ્યા છે, જે અનેક લોકોએ હિંદ પાછા ફરવાના ભાડાનો લાભ નથી ઉઠાવ્યો તેઓ વિશ્વાસપાત્ર અને ઉપયોગી ઘરકામ કરનારા નોકરો સાબિત થયા છે. (પા. ૩૨૭)

૨૭. આ જ વિસ્તૃત હેવાલમાંથી અને જુબાનીમાંથી હજી પણ અનેક ઉતારા આપીને એ બતાવી શકાય કે આ વ્યવસ્થા વિષે સંસ્થાનમાંના સૌથી નામાંકિત માણસો કેવા વિચારો ધરાવતા હતા.

૨૮. અરજદારો વધારામાં મેસર્સ બિન્સ અને મેસનના હેવાલમાંથી નીચેની વાત તરફ તમારું ધ્યાન ખેંચવા ઈચ્છે છે:

હજી સુધી, હિંદી સરકાર પાસે વારંવાર પરવાનગી માગવા છતાં જે કોઈ દેશમાં મજૂરો ગયા હોય તેમની બાબતમાં ગિરમીટની બીજે મુદ્દતને માટે સંમતિઓ આપવામાં આવી નથી. ગિરમીટની મુદ્દત પૂરી થયે ફરજિયાત પાછા ફરવાની શરત કોઈ પણ દાખલામાં મંજૂર રાખવામાં આવી નથી.

૨૯. આ કાનૂનના બચાવમાં સંસ્થાનમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં બંને પક્ષો સ્વેચ્છાથી અમુક ચીજ કરવાને સંમત થાય ત્યાં અન્યાય થઈ જ શકતો નથી, અને નાતાલ આવતાં પહેલાં હિંદીઓને તેઓ કઈ શરતે નાતાલ જઈ રહ્યા છે તેની ખબર પડ્યા વિના રહેશે નહીં. આ મુદ્દો નામદાર લેજિસ્લેટિવ ઍસેમ્બ્લી અને લેજિસ્લેટિવ કાઉન્સિલને કરવામાંઅ આવેલીઅરજીઓમાં છણવામાં આવ્યો છે અને તમારા રજદારો એ વાત ફરીથી કહેવાની ધૃષ્ટતા કરે છે કે જ્યારે કરારમા ઊતરનારા પક્ષો સમાન કક્ષાએ નથી હોતા ત્યારે આ દલીલ બિલકુલ લાગુ પડતી નથી. જ્યારે એક હિંદી, મિ. સૉન્ડર્સના શબ્દોમાં "ભૂખમરામાંથી બચવાને" માટે ગિરમીટનો કરાર કરવા માગે છે ત્યારે તે ભાગ્યેજ સ્વતંત્ર વ્યકતિ કહેવાય.

૩૦. હમણાં છેક ૧૮૯૪માં ઉપર દર્શાવેલા સંરક્ષકના હેવાલમાં હિંદીઓ કેટલા અનિવાર્ય છે તેના પુરાવા વિષે કહેવામાં આવ્યું છે. પા. ૧૫ ઉપર તે કહે છે: