પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચતુર્થાવૃત્તિ વિષે પ્રકાશકનું નિવેદન

અમારા પૂજ્ય તીર્થરૂપ સ્વ. પિતાશ્રીની રચેલી આ એક સામાજિક નવલકથા છે; તેની ત્રણ આવૃત્તિઓ ગ્રન્થકર્તાના પોતાના જીવનકાળમાં પ્રસિદ્ધ થઈ ગઈ હતી. આ ચતુર્થાવૃત્તિ અમારે હાથે કાઢવાનો પ્રસંગ આવ્યો છે, અને એ રીતે સ્વર્ગસ્થના આત્માને એક નિવાપાંજલી આપી પિતૃઋણ ફેટાડવાની સુંદર તક મળી છે, તે માટે સર્વાન્તર્યામિ પ્રભુનો ઉપકાર માનીએ છીએ. મીઠી ગુજરાતી ભાષામાં સ્વતંત્ર કલ્પનાવાળી અને સમાજનાં વિવિધ અંગો તાદૃશ્ય ચીતરતી નવલકથાઓ બહુ થોડી છે, અને તેવી બહુ થોડીઓમાંની આ એક છે, એમ આજે નિઃશંકપણે કહી શકાય. આ નવલકથાની પણ એક કથા છે, તે જો અત્ર કહેવામાં આવે તો વાંચનાર તે માટે ક્ષમા કરશે; કારણ કે નવલકથાનું સાહિત્ય જ્યારે ભવિષ્યમાં કોઈ નિષ્પક્ષપાત લેખક તરફથી લખાશે ત્યારે તેને આ હકીકત ઉપયોગી થઈ પડશે એવું અમારું માનવું છે. આ નવલકથામાં સુરતની વણિક જ્ઞાતિઓમાંની એક જ્ઞાતિનું જે સામાજિક ચિત્ર આલેખાયલું છે, તેનો સમય ઈ. સ. ૧૮૮૦ થી ૧૮૮૬ સુધીનો કલ્પી શકાય છે. કથાભાગ તો કેટલાક જીવનપ્રસંગો પરથી પ્રત્યક્ષ લેવાયલો છે. આ નવલકથા પ્રથમ “આર્ય જ્ઞાનવર્ધક” નામનું એક ચોપાનિયું જે અમારા પૂજ્ય પિતાશ્રી કાઢતા હતા તેમાં કટકે કટકે છપાતી હતી. તે પછી તેની માંગણી થવાથી તેની પુસ્તકરૂપે પ્રથમાવૃત્તિ ઈ. સ. ૧૮૮૮ માં તેમણે કાઢી હતી. તે પછી આ પુસ્તકની બે આવૃત્તિએ તેમને જ હાથે થઈ હતી, અને તે સમયે લોકોમાં સારી રીતે વંચાઈ હતી. ઘણો વખત થયા આ ગ્રન્થ દુર્મિલ થઈ ગયો હતો, તેથી તેની આ નવી ચતુર્થાવૃત્તિ અમે બહાર