પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
પ્રકાશકનું નિવેદન

પાડી છે. તેમાં મૂળ યોજનામાં કેટલાક ફેરફાર સુગમતાની ખાતર કર્યો છે તે આ પ્રમાણે. મૂળ ગંગાની વાર્તા બહુ લાંબી નહિ હોવાથી તેમાં સુરતના ઇતિહાસમાં બનેલા એક પ્રસંગનું રસમય ચિત્ર પણ ગ્રંથકર્તાએ દાખલ કર્યું હતું. આખી વાર્તાને ત્રણ ખંડમાં વહેંચી નાંખી હતી. પ્રથમ ખંડ જેનું નામ “સદ્ગુણ” હતું તેમાં વાર્તાનાં પ્રથમ ત્રણ પ્રકરણો જ માત્ર હતાં. બીજા ખંડમાં “શિવાજીની સુરત પર ચઢાઈ” એ નામની ઐતિહાસિક આ કથાનાં ૨૫ પ્રકરણો હતાં. તે પછી ત્રીર્જ ખંડમાં પહેલા ખંડની સાથે સબંધ રાખનારાં ૩૦ પ્રકરણો હતાં, આ ખંડનું નામ “સંસારની રેંટમાળ” રાખેલું હતું. અમે આ નવી આવૃત્તિમાં આખો બીજો ખંડ કાઢી નાંખી તેનું જુદું પુસ્તક છાપ્યું છે; અને પહેલા તથા ત્રીજા ખંડને જોડી દઈ એક જ ખંડ કરી દીધો છે એટલે કુલ્લે પ્રકરણે ૩૩ રાખ્યાં છે. વચલો ખંડ કાઢી નાંખવાથી મૂળ સામાજિક નવલકથાના રસને કંઈ ક્ષતિ પોંહચે તેમ નથી. આગલી આવૃત્તિઓમાં ગ્રંથકર્તાએ પણ વચ્ચે આડ કથારૂપ ઇતિહાસ દાખલ કરવા માટે નીચે પ્રમાણે “ક્ષમા યાચના” કરી છે, એટલે અમે જે યોજનાએ આ ગ્રંથ બે ભાગોમાં બહાર પાડ્યો છે તે અવાસ્તવિક નહિ લેખાય એવી આશા છે.

ગ્રંથકર્તાની “ક્ષમા યાચના

“સૂત્રધાર મૂળ મુદ્દાની બહાર ગયો છે, અને વાર્તાના મુખ્ય પ્રસંગને તદ્દન છોડી દીધો છે તે માટે વાચકવર્ગની ક્ષમા યાચે છે. સુરતના ઉત્તમ કુળના શાહ આત્મારામ ભૂખણના વંશનો ઈતિહાસ સંક્ષેપે ભજવી બતાવવાનો હેતુ છતાં ગ્રંથનો અડધો ભાગ એમાં રોકાઈ ગયો છે. તથાપિ તે નીરસ અથવા અપ્રાસંગિક છે એમ છેક જ કહેવામાં આવશે નહિ. મૂળ વાર્તા વાંચવાની જ