પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
ઘાશીરામ કોટવાલ.


વાત ૨૦.

જે દિવસે રાજાપુરની ગંગા વિષે બોલવું થયું, તેને બીજે દિવસે ગુલામઅલી મુનશી, ઘાશીરામને ઘેર ફરી આવ્યા. ત્યાં શેષાચાર્ય નામના શાસ્ત્રી બેઠા હતા, તે વખત બોલવું જારી થયું તે:–

કો૦— મુનશી સાહેબ, તમે કાલે ઘણી જ સારી ગંમત કરી બતાવી. હવે કાંઈ બીજી નવી મજા બતાવવા લાયક રહી છે ?

મુ૦— અમને બીજા ઘણા ચમત્કાર માલુમ છે.

કો૦— આચાર્ય બાવા, આ મુનશીએ ગઈ કાલે કારલ્યાની એકવીરા દેવીના ચમત્કારિક કામ વિષે વાત કરી હતી, તે ઉપરથી એમને ઘણી માહિતી છે, એમ જણાય છે.

આ૦— કારલ્યાની ગુફા કાંઈ મોટી નથી. આજીટનેા ઘાટ, ખાનદેશ તથા ઔરંગાબાદ એ બંનેની સરહદ ઉપર છે. તેમાં વેરુલની ગુફા મોટી છે. તે ગુફામાં પાંડવે પોતાના રહેવાના ઘરની પેઠે સઘળી સગવડ કરેલી છે અને ભીત ઉપર મોટા દેવદાનવ વગેરે કોતરેલા છે. તે કોતરવાનું કામ, પાંડવ બાર વર્ષ સુધી ગુમ રહ્યા હતા, તે વખત ફુરસદમાં ડુંગર કોચીને અંદરથી કરેલું છે. એવું કામ માણસને હાથે બનવાનું નહીં.

મુ૦— જે વાતની બરાબર માહિતી ન હોય, તે વાત ઈશ્વરકૃત છે, એમ કહેવાની તમારા બ્રાહ્મણોની ચાલ છે; પણ તે ઈશ્વરકૃત અથવા પાંડવનું કરેલું બિલકુલ નથી. હાલ જમાનાના લોકોના શોધવા ઉપરથી એવું માલુમ પડ્યું છે કે, જે જે ઠેકાણે આ દેશમાં એવી ગુફાઓ છે, તે તે ઠેકાણાના આગલા વખતના રાજાઓએ લાખો રૂપીઆ ખરચીને, પોતાને તપશ્ચર્યા કરવા તથા એકાંત બેસવા વગેરે કારણસર, એ ડુંગરમાં મહેલો માણસને હાથે કરાવ્યા છે; ને તેમાંના કેટલાક મહેલ જૈન ધર્મના રાજાએ બનાવેલા છે. તેમાં દેરા એટલે જે ગોળ ગુમટ બનાવેલા છે, તેમાં ગુજરી ગયેલા રાજાઓની સમાધિ છે. આવાં મોટાં કામ કરવાની પાંડવોને વનવાસમાં એટલી ફુરસદ નહોતી, એવું તમારા ભારત ઉપરથી જણાય છે.

આ૦— મુનશીનું બોલવું અમે કાંઈ ખરું માનતા નથી; કારણ કે નાશકની પાસે પ્રત્યક્ષ પંચવટી કરીને ગામ વસેલું છે; તેમાં સીતાની ગુફા હજી સુધી છે. તે ગુફાની કથા રામાયણમાં લખેલી છે.

મુ૦— તમારી રામાયણમાં કહેલી સીતાની ગુફા તથા પંચવટીમાં જે સીતાની ગુફા છે, તે બંને જૂદી જૂદી છે; કારણ કે તમારા બ્રાહ્મણો