પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬-ગ.

બાઈશોભાગવરીની બે પુત્રીમાંની એક સુરતના મીઠારામ દિવાનજીના કુટુંબમાં આપી હતી, અને બીજી રતનલાલ દફતરીને વરી હતી, એ સ્ત્રીને પેટે ડા. ગીરધરલાલ તથા સોલીસીટર કીશનલાલનો જન્મ થયો છે. ડા. ગીરધરલાલ ઈન્ડિયન મેડીકલ સરવીસમાં પ્રથમ ગુજરાતી તરીકે પાસ થયા છે, અને તેઓ હાલમાં વિલાયતમાં વસે છે. રા. કીશનલાલ દફતરી એક જાણીતા સોલીસીટર અને સંસારસુધારક તરીકે પ્રસિદ્ધ છે.

આ પુસ્તકના કર્તા રા. સાકરરામને બે પુત્ર અને બે પુત્રી હતાં. વડા પુત્ર રા. ઠાકોરદાસ, અને બીજા ડા. વજેરામ છે. ડા. વજેરામ આજ ૨૪ વરસ થયાં મુંબઈમાં એક પ્રખ્યાત ડાક્ટર તરીકે પોતાનો ધંધો ચલાવે છે. એક સુધારક તરીકે રા. સાકરરામે પોતાની એક પુત્રીને એલેક્ઝાન્ડ્રા ગર્લ્સ સ્કૂલમાં ઉચ્ચું જ્ઞાન સંપાદન કરવાને મુકી હતી, જે તે કાળમાં મહત્વને બનાવ હતો.

ડા. ધીરજરામને કંઈ સંતાન હતું નહિ, તેઓ અપ્રજ ગુજરી ગયા છે.

ડા. વજેરામે પોતાના પિતાની છબી આપવાની મેહેરબાની કીધી છે, જે મૃખપૃષ્ઠની સામે અત્રે આપવામાં આવી છે, અને તેને માટે તેમનો આભાર માનીએ છીએ.

इति शुभम्

--:×♠×♠×♠:--