--¤¤¤¤¤¤¤¤--
વિષય | પૃષ્ઠ |
ઘાશીરામનો સસરો મોટો મહાન્ પુરુષ હતો. તે પોતાની છોકરીને મળવાને હિદુસ્થાનથી પુને આવ્યો, તે સમય ઘાશીરામના ઘરમાં કુકણી બ્રાહ્મણનો છોકરો શાગરીદ હતા, તેણે અજ્ઞાનપણાને લીધે ચેષ્ટા કરવાથી તે છોકરાની, તેના માબાપની તથા દાદાની દુર્દશા થવાને પ્રસંગ આવ્યો. |
૧-૪ |
એક છોકરા વિષે બે બઈરીઓનો વાદ – તેમાં કોટવાલના નીતિ જ્ઞાનનો તર્ક તથા પ્રમાણની તુલના કરવાની રીત કેવી હતી તે જણાવી છે. |
૪-૬ |
કોટવાલ અંગ્રેજ સરકાર તરફથી પુનામાં રહેનારા રેસીડેંટને મળવા ગયા ત્યાં થયેલી મજકુર. |
૬ - ૮ |
અબીલ ચોરાયું તે તજવીજથી પકડાયું. તે યુક્તિનો ઘાશીરામે ઉપહાસ કરીને જે લોકોપર ચોરીનું આળ હતું, તેમને તવાપર ઉભા કરવાની યુક્તિ કહી. |
૯-૧૦ |
ઘાશીરામની કન્યા વૃદ્ધ ધણીને આપેલી તેને છેકરાં થાય નહીં, માટે માબાપના કહેવાથી ભજન પૂજન તથા નેમનિષ્ઠા તથા દેહનું કષ્ટ તેણે કર્યું. |
૧૦-૧૨ |
૧ પ્રાચીન કાળના પુષ્પોનો છંદ. ૨ જોળીઆ છોકરાની વાત. ૩ કઠણ તથા હલકા પદાર્થ મોટા શ્રમે તથા ઘણે ખરચે કરીને તૈયાર કરેલા. ૪ બીજા ચાર્લસના દરબારમાં એક ખોજો હતો તેનો વૃત્તાંત. પ ઘણું ખાનારા. |
૧૨-૧૮ |
બેલબાગમાં જન્માષ્ટમીના ઉત્સવની અંતે તમાશો થયો, તેમાં ઘાશીરામને આત્મસ્તુતિ ઘણી પ્યારી હતી પણ તે બાયલો હતો તથા શહેરની રખવાળીનો બંદોબસ્ત એનાથી રખાતો નહીં હતો, તે વિષે જણાવ્યું છે. |
૧૮-૨૧ |