પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘાશીરામ કોટવાલ.


રે૦— સુમારે ચાર હજાર કોશ દૂર છે. ત્યાંહાંથી આવવાને ત્રણ ચાર મહિના લાગે છે.

કો૦— વાહાણને ચાલવાની સડક કેટલી પહોળી છે? રસ્તે બાપદેવા નામના ઘાટ પ્રમાણે ઘાટ આવે છે? ને રસ્તે ઉતરવાને ધર્મશાળા છે?

રે૦— દરીઓ અને જમીન બે નિરાળાં છે. દરીઆમાં ખારાં પાણી છે, ને પૃથ્વી ઉપર જમીન કરતાં દરીઆનો ભાગ વધારે છે, દરીઆમાં સડક નથી. તમે શું પૃથ્વીનો નક્શો કદિ જોયો નથી ?

કો૦— શ્રીમંતના વાડામાં તથા પુના શહેરમાં ઘણે ઠેકાણે સિંધિયા, હોલકર, નવાબ એએાની તસવીરો છે; તેજ પ્રમાણે પૃથ્વીનો નક્શો છે કે?

રે૦—ના, ના, તેવો નથી. તમને પૃથ્વીનો નક્શો બતાવું. (એમ કહીને દેવાલ ઉપર પૂર્વ ગોળાર્ધ ને પશ્ચિમ ગોળાર્ધના બે નક્શા ટાંગેલા હતા તે બતાવ્યા.)

કો૦—હવે સમજ્યો; એ બંને ચક્કર વાહાણનાં પૈડાં છે, ને તેની નીચે કાઠી એ ધરી છે. તેના ઉપર વાહાણને મુકી દરીઆમાં ખેડતા હશે.

રે૦—આપના જેવા જલદ સમજનાર લોક શ્રીમંતની પાસે છે તે જોઈ અમને મોટી તાજુબી લાગે છે. નાહાના સાહેબની મુલાકાત થશે તે વખત આપને વિષેની હકીકત કહીશ. (આ વાત સાંભળી ઘાશીરામ પોતાના મનમાં મોટો સંતોષ પામ્યો, અને પોતાના ડહાપણનું અભિમાન રાખી ફરી બોલવું જારી કર્યું.)

કો૦—આગળ અયોધ્યામાં શ્રી રામચંદ્રજી પેદા થયા તે વાંદરાનું લશ્કર એકઠું કરી લંકા ગયા ને રાવણનું રાજ લીધું. ને વાંદરાઓને વરદાન આપ્યું કે, તમે કળિયુગમાં રાજ કરશો. આ પ્રમાણે અમારા પુરાણમાં કહેલું છે; તે વાંદરાઓના ખાનદાનના ફિરંગીઓ છે. તેને નાની પુંછડી છે, ને તેનું રાજ મોટું છે એવું સાંભળ્યું છે. તે લોકો તમારા જોવામાં આવ્યા છે?

રે૦—ફીરંગી લોક અમારી જાતના લોકમાં ગણાય છે. પરંતુ અમારી અથવા તેની ઉત્પત્તિ વાંદરાંથી થઈ અને અમને કે તેને પુંછડી છે એ તમારી સમજણ બરાબર નથી.

કો૦—સાહેબ, આપ એમ શું કહો છો? પ્રત્યક્ષ માહાદેવ શાસ્ત્રી થતે, રઘુનાથ શાસ્ત્રી દ્રવિડ, તથા નારાયણ ગોસાંઇ નાશીકકર; એવા એવા