પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શેઠ કરસનદાસ માધવદાસ, જે. પી.

સાહેબ,

આ પુસ્તક આપને અર્પણ કરી મેં આપનું નામ પ્રગટ કર્યું છે. તે પરથી તમારા મનમાં મારું મોટું સાહસિકપણું દેખાશે. જો કે મારી તમારી એક બે વખત મુલાકાત થઇ છે, તો પણ હું એમ નથી કહી શકતો કે, મારે તમારી સાથે મિત્રાચારીનો દાવો છે. એ છતાં આપની વર્ત્તણુક પહેલાંથી જ જે લોકોના જોવામાં આવી છે, તેમાંનો હું પણ એક છું ને તે ઉપરથી આપની લાયકી વિષે ઘણે ઉંચા વિચાર રાખું છું. હિંદુ લોકોમાં સુધારો અને સ્વતંત્રપણું દાખલ કરવાના વિચારથી જે લોકોએ આગેવાન થઈ બુદ્ધિવર્ધક સભા સ્થાપી, તેમાં તમે પણ સામેલ હતા. આ સભાના કારભારનું કામ એક વખતે આપને હાથ આવ્યું હતું, તે આપે કેટલાક વર્ષ સુધી ઘણી ખુશીથી બજાવ્યું. પોતાની મોટી મતલબ પાર પાડવાને એ સભાએ જે જે યત્નો કીધા, તેમાં આપે આગેવાની કરી છે. એ સભાની સ્થાપેલી નિશાળનું ઉપરીપણું તમોએ લાંબી મુદત સુધી ચલાવ્યું છે. તેનાં ચેાપાનિયાનાં અધિપતિનું કામ કર્યું છે અને એ સભા જ્યારે ભેળી થતી ત્યારે તેમાં સારા રસીલા રસાલા વાંચ્યા છે. વ્યાપારનું કામ શરુ કર્યાથી એ સભાના કામમાં કેટલેક દરજ્જે તમારાથી આગેવાની કરી શકાઈ નહિ ખરી, તો પણ એનું કલ્યાણ કરવાની જે તમારી ઇચ્છા, તે ક્ષણમાત્ર પણ કમી થઈ નહોતી. સલાહ અને પૈસાના કામથી આપ એ સભાને મદત કરતા રહ્યા છો. કેળવણી અને મુખ્ય કરી સ્ત્રી કેળવણીને તમારી તરફથી ઘણો સારો ટેકો મળ્યો છે. એ ખાતાંને તમે જે જૂદી જૂદી રીતે મદત કરી છે, ને તેનો ફેલાવો કરવાને જે હોંસ બતલાવી છે, તે ઉપરથી સાફ માલુમ પડી આવે છે કે, એ વિષય આપને ઘણો પ્યારો છે. હિંદુસ્થાનની દેશી સ્ત્રીઓમાં સુધારાનો ફેલાવ કરવાનો તથા તેએાની સ્થિતિ સુધારવાને જે યત્ન થાય છે, તેના ઉપર તમારી સારી દૃષ્ટિ છે, અને તેને તમે ઘણા સખી દિલથી ટેકો આપ્યો છે. ખરેખરું જોઈએ તો આપનું દિલ આ વિષય કરતાં કોઈપણ બીજા વિષય ઉપર વધારે હોય એમ જણાતું નથી. હિંદુઓની નીચ અને ધિક્કારવા જોગ સંસારી હાલત, ને તેથી પણ વધારે ધિક્કારવા જોગ તેઓના વહેમ અને અનીતિ મશહુર છે. તમે પહેલાંથી જ આ દુર્ગુણની સામે થયા છો. અને એ દુર્ગુણ નાબુદ કરવાને તમે જે જે કીધું છે, તે હું બધું લખું તો