પૃષ્ઠ:Gramonnati.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮ : ગ્રા મો ન્ન તિ
 



યંત્રવાદની હિંદ ઉપર
અસર

હિંદુસ્તાનમાં યંત્રવાદની મુખ્ય અસરો નીચે પ્રમાણે થઈ:—

(૧) કાચો માલ ઓછા મૂલનો બન્યો.
(૨) માલ પકવનારા બાજુએ રહ્યા અને વચલા વર્ગના દલાલો –Middle men–ના નફા વધી ગયા.
(૩) જૂનાં બજાર તૂટ્યાં.
(૪) ગૃહઉદ્યોગો નષ્ટ થયા. કયા ગૃહઉદ્યોગો નષ્ટ થયા તે જોવું હોય તો નીચેના છિન્નભિન્ન બની ગએલા ઉદ્યોગો સહજ નજરે આવશે :—
(ક) પાટણના પટોળાં.
(ખ) રેશમ.
(ગ) કીનખાબ.
(ધ) મલમલ.
(ઙ) અત્તર અને સુગંધી વસ્તુઓ.
(ચ) દવાઓ, અર્કો અને ભસ્મો.
(છ) પીત્તળ, માટી તથા લાકડાનાં રમકડાં.
ઉપરના સઘળા ગૃહઉદ્યોગો અને ગ્રામઉદ્યોગો લગભગ નષ્ટ થઈ ગયા છે.
(૫) થોડા મનુષ્યો પાસે ધનના ઢગલા થયા—પરંતુ એ ઢગલા ઉપર પરદેશીઓની સત્તા રહી.
(૬) હિંદના માલની કિંમત પરદેશમાં અંકાવા લાગી. પરદેશમાં પરતંત્ર હિંદની – હિંદના માલની કિંમત શી ?